હવે લૉકડાઉન દરમિયાન કરી શકો છો આ કામ, ગૃહ મંત્રાલયે આપી છૂટ
ગૃહ મંત્રાલયે લૉકડાઉનમાં એક દિશા-નિર્દેશ જારી કર્યા છે જેમાં દેશબંધી દરમિયાન અમુક કામોમાં છૂટ આપવામાં આવી છે.
કોરોના વાયરસના વધતા કેસ સાથે દેશમાં સંપૂર્ણ લૉકડાઉન વધવા અંગે ચર્ચાએ જોર પકડ્યુ છે. આ દરમિયાન ગૃહ મંત્રાલય તરફથી પણ એવા સંકેત મળી રહ્યા છે કે લૉકડાઉનને લંબાવવામાં આવી શકે છે. આવુ એટલા માટે કારણકે શનિવારે ગૃહ મંત્રાલય તરફથી અમુક કામો માટે લૉકડાઉનમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે લૉકડાઉનમાં એક દિશા-નિર્દેશ જારી કર્યા છે જેમાં દેશબંધી દરમિયાન અમુક કામોમાં છૂટ આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કરીને માછલી પકડવા(સમુદ્રી-જળ) કૃષિ ઉદ્યોગના સંચાલનને છૂટ આપી છે. આમાં ફીડિંગ અને મેઈનટેનન્સ પણ શામેલ છે. આ ઉપરાંત મંત્રાલયે ફૂડ પ્રોસેસિંગ, ફીડ પ્લાન્ટ્સ, પેકેજિંગ, કોલ્ડ ચેન, પાકની કાપણી, સેલ્સ અને માર્કેટિંગ જેવા કામો માટે લૉકડાઉનના સમયમાં છૂટ આપી છે. જો કે આદેશમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે કામ દરમિયાન સામાજિક અંતર, હાઈજીન પ્રેક્ટીસ અને સરકાર દ્વારા જારી સુરક્ષા નિયમો પાલન કરવાનુ રહેશે. આમ ન કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
Ministry of Home Affairs (MHA) has issued the 5th addendum to the consolidated guidelines regarding the #CoronaLockdown. The 5th addendum exempts from lockdown restrictions, the operations of Fishing (Marine)/Aquaculture Industry: Ministry of Home Affairs pic.twitter.com/FZT9cEGw2C
— ANI (@ANI) April 11, 2020
આ પણ વાંચોઃ કોરોના મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહેલા પીએમ મોદીઃ હું 24x7 ઉપલબ્ધ છુ