LOC પર વધુ હુમલાની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાન: આર્મી
બીએટી પાકિસ્તાનના વિશેષ દળના કર્મિઓ અને આંતકીઓનું એક જૂથ છે. ભારતના બે સૈનિકોની જાન્યુઆરીમાં નૃશંસ હત્યા કરી દીધી હતી, જેમાં એકનું શર કલમ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે પાંચ સૈન્યકર્મિયોની હત્યા કરવામાં આવી. ભારતે આ હત્યાઓ માટે બીએટીને દોષી ગણાવી છે.
નિયંત્રણ રેખા પાસે આવેલા પુંછ સેક્ટરમાં આવેલ ભીમભેર ગલી વિસ્તારમાં સેનાની 120 ઇન્ફેન્ટ્રી બ્રિગેડના બ્રિગેડ કમાંડર એ સેનગુપ્તાએ પત્રકારોને જણાવ્યું કે 'અમને એવી કાર્યવાહીની સૂચના મળી છે. આ વિસ્તારમાં હજી સુધી કંઇ કરી નથી શક્યા. અમને સૂચના મળી છે કે નિયંત્રણ રેખા પાસે આવેલી ચોકીઓ પર બીએટી હુમલાની કોશિશ કરી શકે છે.' બ્રિગેડ કમાંડરે જણાવ્યું કે 'પરંતુ અમે આ હુમલા માટે તૈયાર છીએ.'
બ્રિગેડિયર સેનગુપ્તા પુંછમાં નિયંત્રણ રેખાની પાસે સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની બઢતી ઘટનાઓ, ભારતની જવાબી કાર્યવાહી અને બીએટી હુમલાની સૂચના સાથે પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષ એક જાન્યુઆરીથી લઇને પાંચ ઓગસ્ટની વચ્ચે પાકિસ્તાની સેનાએ 70 વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જે ગયા વર્ષે આ જ સમયઅવધિ દરમિયાન બનેલી ઘટનાની તુલનામાં 85 ટકા વધારે છે.