જે સમયે મોદી શપથ લઇ રહ્યાં હતા ત્યારે એલઓસી પર થઇ રહી હતી ફાયરિંગ
નવી દિલ્હી, 27 મે: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફે સોમવારે જ્યારે હાથ મિલાવ્યો તો બધા દેશવાસીઓના મનમાં એક જ પ્રશ્ન હતો કે હાથ તો મિલાવી લીધો, શું દિલ મળી શકશે? તેનો જવાબ શોધવો થોડો મુશ્કેલ છે જો સોમવારે પાકિસ્તાન તરફથી જે હરકત કરવામાં આવી ત્યારબાદ તો આખો મુદ્દો કાચ માફક સ્પષ્ટ થઇ જાય છે.
જી હાં જે સમયે નરેન્દ્ર મોદી ભારતના 15મા વડાપ્રધાનમંત્રી પદની શપથ લઇ રહ્યાં હતા તે સમયે બોર્ડર પર ભારતીય ચોકીઓ પર ફાયરિંગ થઇ રહી હતી. પાકિસ્તાનના હુક્મરાન ભારતમાં મહેમાન બનીને આવ્યા હતા અને તેમના સિપાહીઓ (પાકિસ્તાની રેંજર્સે) સોમવારે બે વખત સીજ ફાયરનું ઉલ્લંઘન કર્યું.
બીજી વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન સોમવારે સાંજે 6.15 વાગે કરવામાં આવ્યું. પાકિસ્તાનના સૈનિકોએ સવારે 11.20 વાગે પૂંચના કૃષ્ણા ઘાટી સેક્ટરના નાગી ટેકરીમાં સંઘર્ષ વિરામ સોદાનું ઉલ્લંઘન કર્યું. તેમછતાં થોડા થોડા અંતરે 15 મિનિટ સુધી ફાયરિંગ ચાલુ રહ્યું. જો કે આ કેસમાં સેનાના અધિકારીઓએ મૌન સાધી લીધું પરંતુ સોમવારે બીએસએફ સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની રેંજર્સે સાંજે 6.15 વાગે બોર્ડર પાર બીએસએફની પોસ્ટ સ્ટોપ-2 પર ત્રણ રાઉંડ ફાયરિંગ કર્યું.

સ્ટોપ-2 ચોકી અર્નિયા સબ સેક્ટરના પિંડી ગામમાં સ્થિત છે. બીએસએફે જવાબી ફાયરિંગ કર્યું. ગોળીબારીમાં કોઇ દુર્ઘટના થઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફ જ્યારે ભારત આવી રહ્યાં હતા તો તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે શાંતિનો સંદેશ લઇને ભારત આવ્યા છે.
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ








Click it and Unblock the Notifications
