પાક. બન્યુ ફરી નાપાક, સીઝફાયર તોડી ભારતીય ચોકી પર કર્યું ફાયરિંગ

ભારત આ ઘટનાના પગલે કડક વલણ અપનાવી પાકિસ્તાન સાથે ફ્લેગ મીટીંગ કરવા પર વિચાર કરી રહી છે. તેમજ કેન્દ્ર સરકારે આ ઘટનાની સંયુક્ત રાષ્ટ્ર પાસે તપાસ કરાવવાની પાકિસ્તાનની માંગને નકારી કાઢી છે.
સેનાના હેડક્વાર્ટરમાંથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાની સેનાએ પુંછ સેક્ટરના બટ્ટલ વિસ્તારમાં ગુરુવારે સાંજે 4.30 વાગે ગોળીબારી શરુ કરી દીધી. જેનો ભારતીય સેના દ્વારા જવાબી ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. આ ગોળબાર સાંજે 6.10 વાગ્યે બંધ થઇ હતી. આ ફાયરિંગ 13 રાજપૂતાના રાઇફલ્સના વિસ્તારમાં થઇ, આ વિસ્તારમાં પહેલા થયેલા ઘર્ષણમાં બે જવાનો લાંસ નાયક સુધાકરસિંહ અને હેમરાજની હત્યા કરી દેવામાં આવી હતી. જેના પગલે આ વિસ્તારમાં ઘર્ષણ વધ્યું છે. આ વિસ્તારની ટૂકડીને બારાસિંઘા બટાલિયન તરીકે ઓળખવામાં આવે છે.
આ સાથે જ પાકિસ્તાને બંને દેશોની વચ્ચે વ્યાપાર માટે નિકળેલા 25 ભારતીય ટ્રકોને તેમના કબ્જાવાળા કાશ્મીરમાં જવા દીધા નહીં. સીમા પર હાજર ભારતીય અધિકારીઓએ આ અંગે પાકિસ્તાની અધિકારીઓ સાથે વારંવાર વાત કરી, પરંતુ તેઓ સાંભળવા માટે તૈયાર નથી. જોકે સૂત્રોએ જણાવ્યું કે ગુરુવારે 50 ભારતીય ટ્રકો પાકિસ્તાન બાજુ ગયા અને પાકિસ્તાનના 37 ટ્રક ભારત આવ્યા હતા.
બીજી બાજું મેંઢર સેક્ટરમાં યુદ્ધવિરામ ઉલ્લંઘન અને બે ભારતીય જવાનોની સાથે થયેલા બર્બર વ્યવહાર અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે આરોપ પ્રત્યારોપનો દૌર ચાલુ છે. જોકે પાકિસ્તાન એવું માનવા માટે તૈયાર નથી પાકિસ્તાની સૈનિકોએ એલઓસીમાં ઘુસીને બે ભારતીય સૈનિકોની હત્યા કરી હોય. જોકે ગઇકાલે એક પ્રેસ કોંફ્રેન્સમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શીંદેએ જણાવ્યુ હતું કે બોર્ડર પર આતંકવાદ પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવે છે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
