For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના વિકાસથી આયોગ ખુશઃ 59 હજાર કરોડની યોજના મંજૂર

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જૂનઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે યોજના આયોગના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહુવાલિયાને મળ્યા હતા. આ બેઠક દરમિયાન યોજના આયોગ દ્વારા ગુજરાતમાં જે વિકાસ થયો છે, તે પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી અને સલાહ સૂચન પણ કર્યા હતા.

યોજના આયોગ સાથે બેઠક કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધ્યું હતું. મીડિયાને સંબોધતી વખતે મોદીએ જણાવ્યું હતું કે, આયોગ દ્વારા ગુજરાતમાં જે વિકાસ કાર્યો થયા છે, તેના પ્રત્યે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને ગુજરાત વધુ વિકાસ કરે તે અર્થે 59 હજાર કરોડની યોજના પણ મંજૂર કરવામાં આવી હતી.

modi-Ahluwalia
જો કે, આ સાથે ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે વિકાસ પણ વધુ ધ્યાન આપવામાં આવે તેવી સલાહ પણ ગુજરાત સરકારને આપવામાં આવી હતી. જેના સંદર્ભમાં મોદીએ જણાવ્યું છે કે, યોજના આયોગ તરફથી જે ફંડ મંજૂર કરવામાં આવ્યું છે, તેમાંથી 42 ટકા હિસ્સો સામાજિક કાર્યો પાછળ ખર્ચ કરવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય છે સૌનો સાથ સૌનો વિકાસ અને તે હેતુથી સમાજના તમામ પછાત વર્ગોની જાતિનો પણ વિકાસ થાય તે અર્થે આ યોજનાનો 42 ટકા હિસ્સો સામાજિક કાર્યો પાછળ ખર્ચવામાં આવશે.

English summary
Gujarat Chief Minister Narendra Modi at a meeting with Deputy Chairman of the Planning Commission Montek Singh Ahluwalia to finalize the annual plan 2013-14 for the state, in New Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X