પુલવામા હુલમાને લઈ સૈમ પિત્રોડાના વિવાદિત નિવેદન પર મોદીએ આપ્યો આ જવાબ
સૈમ પિત્રોડાના વિવાદિત નિવેદન પર મોદીએ આપ્યો આ જવાબ
નવી દિલ્હીઃ બાલાકોટમાં એર સ્ટ્રાઈક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના સૈમ પિત્રોડાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સૈમ પિત્રોડાએ એર સ્ટ્રાઈકમાં મરનાર આતંકવાદીઓની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે જ્યારે એમ પણ કહ્યું કે પુલવામા જેવા હુમલા થતા રહે છે. આ નિવેદન પર પીએમ મોદીએ ટ્વીટ કરી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષ આપણા સુરક્ષાબળોનું વારંવાર અપમાન કરતું રહ્યું છે.

સેનાનું અપમાન કરી પાક નેશનલ ડે મનાવવાની શરૂઆત થઈ ગઈ
પીએમ મોદીએ સૈમ પિત્રોડાના નિવેદન પર ટ્વીટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે આપણા સુરક્ષાબળોને વારંવાર અપમાનિત કર્યા છે. હું મારા સાથી ભારતીયોને અપીલ કરું છું કે વિપક્ષી નેતાઓને તેમના નિવેદનોને લઈ સવાલ કરે. તેમણે જણાવ્યું કે 130 કરોડ ભારતીયો વિપક્ષને તેમની હરકત માટે માફ નહિ કરે અને ભૂલશે પણ નહિ. ભારત પોતાની સેનાઓની સાથે મજબૂતીથી ઉભ્યું છે. પીએમ મોદીએ આ ટ્વીટ સાથે જનતા માફ નહિ કરે હેશટેગનો પણ ઉપયોગ કર્યો.
|
વિપક્ષ વારંવાર કરી રહ્યું છે સેનાનું અપમાન
વધુ એક ટ્વીટ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. કોંગ્રેસ અધ્યક્ષના સૌથી ભરોસેમંદ સલાહકાર અને માર્ગદર્શકે આજે માની લીધું કે દેશના લોકો પહેલાથી જ જાણે છે કે કોંગ્રેસ આતંકવાદીઓને જવાબ આપવા માટે તૈયાર નહોતી. આ નવું ભારત છે, અમે આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપીશું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના સૌથી વિશ્વસનીય સલાહકારે ભારતીય સેનાનું અપમાન કરી કોંગ્રેસ તરફથી પાક નેશનલ ડે પર ઉત્સવની શરૂઆત કરી છે, આ શર્મનાક બાબત છે.
|
રામગોપાલ યાદવના નિવેદનને ગણાવ્યું શહીદોનું અપમાન
સપાના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવના નિવેદન પર પીએમ મોદીએ નિશાન સાધ્યું અને કહ્યું કે રામગોપાલ યાદવ જેવા વરિષ્ઠ નેતાના નિંદનીય નિવેદન તે તમામ લોકોનું અપમાન છે જેમણે કશ્મીરની રક્ષામાં પોતાની જાન આપી છે. આ અમારા શહીદોના પરિવારોને અપમાનિત કરે છે. જણાવી દઈએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈમ પિત્રોડાએ કહ્યું હતું કે જો વાયુસેનાએ 200 આતંકવાદીઓને માર્યા તો ઠીક છે પણ હું માત્ર એટલું કહું છું કે તમે મને વધુ તથ્યો આપીને તે વાત સાબિત કરી શકો છો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
