પુલવામા હુલમાને લઈ સૈમ પિત્રોડાના વિવાદિત નિવેદન પર મોદીએ આપ્યો આ જવાબ
સૈમ પિત્રોડાના વિવાદિત નિવેદન પર મોદીએ આપ્યો આ જવાબ
નવી દિલ્હીઃ બાલાકોટમાં એર સ્ટ્રાઈક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના સૈમ પિત્રોડાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સૈમ પિત્રોડાએ એર સ્ટ્રાઈકમાં મરનાર આતંકવાદીઓની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે જ્યારે એમ પણ કહ્યું કે પુલવામા જેવા હુમલા થતા રહે છે. આ નિવેદન પર પીએમ મોદીએ ટ્વીટ કરી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષ આપણા સુરક્ષાબળોનું વારંવાર અપમાન કરતું રહ્યું છે.

સેનાનું અપમાન કરી પાક નેશનલ ડે મનાવવાની શરૂઆત થઈ ગઈ
પીએમ મોદીએ સૈમ પિત્રોડાના નિવેદન પર ટ્વીટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે આપણા સુરક્ષાબળોને વારંવાર અપમાનિત કર્યા છે. હું મારા સાથી ભારતીયોને અપીલ કરું છું કે વિપક્ષી નેતાઓને તેમના નિવેદનોને લઈ સવાલ કરે. તેમણે જણાવ્યું કે 130 કરોડ ભારતીયો વિપક્ષને તેમની હરકત માટે માફ નહિ કરે અને ભૂલશે પણ નહિ. ભારત પોતાની સેનાઓની સાથે મજબૂતીથી ઉભ્યું છે. પીએમ મોદીએ આ ટ્વીટ સાથે જનતા માફ નહિ કરે હેશટેગનો પણ ઉપયોગ કર્યો.
|
વિપક્ષ વારંવાર કરી રહ્યું છે સેનાનું અપમાન
વધુ એક ટ્વીટ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. કોંગ્રેસ અધ્યક્ષના સૌથી ભરોસેમંદ સલાહકાર અને માર્ગદર્શકે આજે માની લીધું કે દેશના લોકો પહેલાથી જ જાણે છે કે કોંગ્રેસ આતંકવાદીઓને જવાબ આપવા માટે તૈયાર નહોતી. આ નવું ભારત છે, અમે આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપીશું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના સૌથી વિશ્વસનીય સલાહકારે ભારતીય સેનાનું અપમાન કરી કોંગ્રેસ તરફથી પાક નેશનલ ડે પર ઉત્સવની શરૂઆત કરી છે, આ શર્મનાક બાબત છે.
|
રામગોપાલ યાદવના નિવેદનને ગણાવ્યું શહીદોનું અપમાન
સપાના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવના નિવેદન પર પીએમ મોદીએ નિશાન સાધ્યું અને કહ્યું કે રામગોપાલ યાદવ જેવા વરિષ્ઠ નેતાના નિંદનીય નિવેદન તે તમામ લોકોનું અપમાન છે જેમણે કશ્મીરની રક્ષામાં પોતાની જાન આપી છે. આ અમારા શહીદોના પરિવારોને અપમાનિત કરે છે. જણાવી દઈએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈમ પિત્રોડાએ કહ્યું હતું કે જો વાયુસેનાએ 200 આતંકવાદીઓને માર્યા તો ઠીક છે પણ હું માત્ર એટલું કહું છું કે તમે મને વધુ તથ્યો આપીને તે વાત સાબિત કરી શકો છો.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
