સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર પીએમ મોદીનુ સંબોધન
સોમવારે મોડી રાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર યુનાઈટેડ નેશનલ જનરલ અસેમ્બલીને સંબોધિત કરી.
નવી દિલ્લીઃ સોમવારે મોડી રાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર યુનાઈટેડ નેશનલ જનરલ અસેમ્બલીને સંબોધિત કરી. UNGAની એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'વસુધૈવ કુટુંબકમ'નો મંત્ર આપ્યો અને કહ્યુ કે ભારત આખા વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે.
21 સપ્ટેમ્બરથી યુએનની જનરલ અસેમ્બલી શરૂ થયા બાદ પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા તેને સંબોધિત કરી. પીએમ મોદીએ દુનિયાભારમાં જારી કોરોના મહામારીના સંકટ પર વાત કરીને ચિંતા વ્યકત કરી અને કર્યુ કે વિશ્વ જલ્દી આ સંકટથી બહાર નીકળી જશે. તેમણે સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર UNGAની બેઠકની સંબોધિત કરીને કહ્યુ ક માનવ ઈતિહાસમાં પહેલી વાર આખી દુનિયાએ મળીને એક સંસ્થા બનાવી. 75 વર્ષ પહેલા યુદ્ધના માહોલ વચ્ચે એક એવી સંસ્થાનો ઉદ્ધવ થયો જે આજે દુનિયાભરને બાંધીને રાખે છે. પીએમ મોદીએ કહ્યુ કે ભારત એ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સંસ્થાપક હસ્તાક્ષરકર્તા તરીકે શામેલ થયુ હતુ.
પીએમ મોદીએ કહ્યુ કે આ સંસ્થાથી ભારતના વસુધૈવ કુટુંબકમના મંત્રને સાર્થક કર્યો છે. જે કહે છે કે આખુ વિશ્વ એક પરિવાર છે. તેમણે કહ્યુ કે આજે સંયુક્ત રાષ્ટ્રના કારણે આપણી દુનિયા એક સારી જગ્યા છે. તેમણે યુએનના કામોની પ્રશંસા કરીને એ બધાનો આભાર માન્યો જેમણે સંયુક્ત રાષ્ટ્રના ઝંડા હેઠળ દુનિયાભરમાં શાંતિનો સંદેેશ ફેલાવ્યો. પીએમ મોદીએ કહ્યુ કે ભારતનુ યોગદાન આમાં અગ્રણી રહ્યુ છે. ભારતે જે ઘોષણાઓ અને કાર્યો કર્યા આજે તેની પ્રશંસા થઈ રહી છે. તેમને દુનિયાભરમાં સ્વીકારવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ જળવાયુ પરિવર્તન, અસમાનતા, ડિજિટલ પ્રોદ્યોગિકી પર હજુ વધુ કામ કરવાની જરૂરિયાત પર જોર આપ્યુ.
રવી પાકના ટેકાનો ભાવ વધારવાને કેબિનેટની મંજૂરીઃ સૂત્ર