રાહુલ ગાંધી નહીં, પણ પ્રિયંકા બનશે વડાપ્રધાન: ન્યુઝ ચેનલનો દાવો
એક ન્યુઝ ચેનલના સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે રાયબરેલી કે જે કોંગ્રેસનો ગઢ છે ત્યાંના લોકો પણ રાહુલ ગાંધીથી ખૂબ જ નારાજ છે, આ જ પરિસ્થિતી અમેઠીમાં પણ છે. પરંતુ રાહુલ ગાંધી જે કરી શક્યા નથી તે પ્રિયંકા ગાંધીએ ફક્ત ચૂંટણી પ્રવાસ દરમિયાન કરી બતાવ્યું છે. પ્રિયંકા ગાંધીના કારણે જ રાયબરેલીમાં લાંબા સમય પછી કોંગ્રેસ સંગઠનની ચૂંટણી યોજાઇ રહી છે. જેના કારણે કોંગ્રેસીઓ ખુશ છે.
સમીક્ષકો માનવું છે કે પ્રિયંકામાં લોકો ઇન્દિરા ગાંધીને શોધે છે, પરંતુ રાહુલમાં તેમણે ના તો રાજીવ ગાંધી ના તો નેહરૂ ઝલક જોવા મળે છે. કોંગ્રેસ સંગઠનની ચૂંટણીઓ ઇશારો કરે છે કે પ્રિયંકા ગાંધી પોતાની લડાઇને મજબૂત બનાવવા માટે પહેલાંથી જ પ્યાદા તૈયાર કરવામાં લાગ્યા છે. માટે તે ખૂબ જ જલ્દી કોંગ્રેસના કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપશે.
જો કે રાજકારણમાં આવવાનો પ્રશ્ન પૂછતાં હંમેશા પ્રિયંકા ગાંધીએ એમ જ કહ્યું છે કે તે યોગ્ય સમયે નિર્ણય લેશે. તો પ્રશ્ન એ થાય છે કે તે યોગ્ય સમય 2014નો છે. એક સમાચાર ચેનલે જણાવ્યું હતું કે પ્રિયંકાએ દિલ્હીમાં દર બુધવારે રાયબરેલીના લોકોને દસ જનપથ પર મળવાનું શરૂ કરી દિધું છે. તો શું એમ માની શકાય કે સોનિયા ગાંધીએ દેશની સત્તાની કમાન પ્રિયંકાને સોંપી દિધી છે.