રાજા ભૈયાએ કરી સીબીઆઇ તપાસની માંગ
લખનઉ, 4 માર્ચઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં કુંડા ક્ષેત્રમાં સીઓ હત્યાકાંડના મુખ્ય આરોપી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાએ પોતાના વિરુદ્ધના મામલામાં સીબીઆઇ તપાસની માંગને સમર્થન કર્યું છે અને તે જાતે ઇચ્છે છે કે ઉચ્ચકક્ષાની તપાસ હોવી જોઇએ, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે.
એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ પોલીસકર્મી કેવી પરિસ્થિતિઓમાં પોતાના અધિકારીઓને સ્થળ પર એકલા છોડીને ભાગ્યા. આ પહેલા, પ્રદેશના કેબિનેટ મંત્રી આઝમ ખાંએ હકને એકલા છોડીને ભાગનાર ત્રણેય પોલીસકર્મીઓની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, હુમલા વખતે ભાગનારા પોલીસકર્મીઓ કાં તો કાયર હતા અથવા તો હત્યાના ષડયંત્રમાં સામેલ હતા. તેવામાં પોલીસ કર્મીઓએ નોકરીમાં બની રહેવાનો કોઇ અધિકાર નથી.
નોંધનીય છે કે વલીપુર ગામમાં શનિવારે મોડી રાત્રે બે સમૂહો વચ્ચે ગોળીબારીમાં ગામના પ્રધાન નન્હે અને તેમના ભાઇ રાકેશે હત્યાકરી હતી. ઘટના બાદ થયેલા હંગામામાં નિયંત્રિત કરવા માટે સીઓ જિયાઉલ હક મથક પ્રભારી સર્વેશ મિશ્રા, વરિષ્ઠ ઉપનિરીક્ષક વિનય કુમાર સિંહ અને પોતાના ગનર ઇમરાન સાથે ઘટનાસ્થળે ગયા હતા પરંતુ આરોપ છે કે આ લોકો તેમને એકલા છોડીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા, ત્યારબાદ ગ્રામીણોના ટોળાએ સીઓની હત્યા કરી છે.