For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાકરેને રાજકીય સન્માન મુદ્દે દાખલ થઇ આરટીઆઇ

By Super
|
Google Oneindia Gujarati News

bal-thackeray
નવીદિલ્હી, 21 નવેમ્બરઃ શિવસેના સુપ્રીમો દિવંગત બાળ ઠાકરેના 18 નવેમ્બરના રોજ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બાળ ઠાકરને રાજ્ય સન્માન અને તિરંગામાં લપેટવામાં આવતા એક મુદ્દો ચગ્યો હતો કે શા માટે તેમને આ રીતે સન્માન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે એક વ્યક્તિ દ્વારા ઉક્ત મુદ્દે આરટીઆઇ દાખલ કરવામાં આવી છે.

20 નવેમ્બરે અબ્દુલ હાફિઝ ગાંધીએ આરટીઆઇ દાખલ કરી છે અને મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું છે કે શા માટે 18 નવેમ્બરના રોજ અંતિમ સંસ્કારમાં બાળ ઠાકરેને સંપૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું અને શા માટે તેમની અંતિમ ક્રિયા જાહેર સ્થળ શિવાજી પાર્કમાં કરવામાં આવે તેવી મંજૂરી આપવામાં આવી. હું જાણવા માંગુ છું કે ક્યા સંવિધાન હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે બાળ ઠાકેરની અંતિમ ક્રિયામાં 20 લાખથી પણ વઘારે લોકો હાજર રહ્યાં હતા અને તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા તેમજ રાજ્ય સરકાર દ્વારા તેમને રાજકીય સન્માન આપવામાં આવે તેમ જણાવ્યું હતું. આમ કરવામાં આવ્યા બાદ એવો વિવાદ ઉભો થયો હતો કે શા માટે બાળ ઠાકરેને રાજકીય સન્માન આપવામાં આવી રહ્યું છે, શું તેઓ તેના હકદાર હતા?

English summary
RTI application to the Office of Chief Minister of Maharashtra in relation to according full state honours to late Bal Thackeray
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X