શશિકલાને બીમાર પતિની મુલાકાત માટે 5 દિવસના પેરોલ
એઆઈએડીએમકેના નેતા શશિકલાને તેમના બીમાર પતિને મળવા માટે 5 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે.
એઆઈએડીએમકેના નેતા શશિકલાને તેમના બીમાર પતિની મુલાકાત લેવા માટે 5 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે. શશિકલા દ્વારા પેરોલ માટે અરજી કરવામાં આવી હતી, જે પછી તેમને 5 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે. આ પહેલા પણ શશિકલા દ્વારા 15 દિવસના પેરોલ માટે અરજી કરવામાં આવી હતી, તે કર્ણાટકના જેલ વિભાગ દ્વારા નકારવામાં આવી હતી.

15 દિવસના પેરોલ માટે શશિકલાએ પોતાના બીમાર પતિ નટરાજનને મળવાનું કારણ આગળ ધર્યું હતું, પરંતુ તે સમયે પેરોલ આપવામાં નહોતા આવ્યા. ત્યાર બાદ શશિકલાએ ફરી એકવાર પેરોલ માટે આવેદન કર્યું હતું, જેમાં તેમને 5 દિવસના પેરોલ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમના પતિ નટરાજન હાલ હોસ્પિટલમાં છે, જ્યાં તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થનાર છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાઇ રહ્યું છે. નટરાજનની ઉંમર 74 વર્ષની છે તથા તબીબોએ પણ તેમને પોતાની પત્નીને મળવાની સલાહ આપી છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
