મોદીના નામે ભડક્યાં શંકરાચાર્ય? પત્રકારને કર્યું ઝાપટમ સમર્પયામી
દ્વારિકાપીઠના શંકરચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ગુરુવારે મધ્યપ્રદેશના જબલપુરમા સિવિક સેન્ટર સ્થિત બગુલામુખી મંદિરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા. આ દરમિયાન એક સ્થાનિક પત્રકારે તેમને નરેન્દ્ર મોદી પીએમ બનવાને લઇને પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નથી શંકરાચાર્યને ઘણો ગુસ્સો આવ્યો અને તેમણે પત્રકારને થપ્પડ લગાવી દીધી. થપ્પડ માર્યા બાદ તેમણે પત્રકારને કહ્યું કે રાજકારણ ના કરો.
એ દરમિયાન આ સમગ્ર ઘટના અન્ય મીડિયા કર્મીના કેમેરામાં કેદ થઇ ગઇ. નોંધનીય છે કે આ પહેલા પણ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને રાજકારણ પર પ્રશ્ન પૂછવામાં આવતા રહ્યાં છે અને તેઓ બેબાક નિવેદન પણ કરતા રહે છે, પરંતુ મોદીના નામ પર તેમને આ પ્રકારે ગુસ્સો થવો એ એક પ્રશ્ન ખડો કરે છે. સાથે જ તેમના આ આચરણને લઇને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે, શું એક સંતને આ પ્રકારનું વ્યવહાર શોભે છે?