પવારે ઇશરત જહાં એન્કાઉન્ટર પર મોદીની કરી ટીકા
પવારે ગઇકાલે મુંબરાની મુલાકાત પર કહ્યું કે મોદીએ ત્યારે જાહેરાત કરી હતી કે આતંકવાદીયોને ઠાર મારવા પર તેમને તેમના પોલીસદળ પર ગર્વ છે. તેમણે કહ્યું હતું કે આ એન્કાઉન્ટર ગુજરાત પોલીસની ઉપલબ્ધિ છે જ્યારે મુંબઇ પોલીસ પોતાનું કર્તવ્ય કરવામાં નિષ્ફળ રહી.
તેમણે કહ્યું કે 'ઇશરત નિર્દોષ હતી પરંતુ તેને આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવી. હવે આ ઘટના ગુજરાત સરકારને પરેશાન કરી રહી છે. વિધાયક જિતેન્દ્ર અવહદે આ મામલાને ઉઠાવ્યો અને તેને નિર્દોષ સાબિત કરવા તથા ગુજરાત પોલીસનો ભાંડાફોડ કરવા લાંબી લડાઇ લડી.'
ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004ના રોજ 19 વર્ષીય ઇશરત જહાં અને તેની સાથે જાવેદ શેખ ઉર્ફ પ્રનેશ પિલ્લઇ, અમજદલી અકબરલી રાણા અને જીશાન જોહરની અમદાવાદની બહાર કોતરપૂર વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી હતી. ગુજરાત પોલીસનો દાવો છે કે તેઓ આતંકવાદી હતા જે શહેરમાં મોદીની હત્યા કરવા માટે આવ્યા હતા.'
મુંબરામાં ગઇકાલે રાત્રે એક જનસભાને સંબોધિત કરતા તેમણે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી કે શહેરમાં જારી વીજળી કાપને ખતમ કરે જેથી આ વિસ્તારનો વિકાસ થઇ શકે. તેમણે જણાવ્યું કે મુંબરા એક સમયે બધા પ્રકારના સમાજ વિરોધી ક્રિયાકલાપ અને અપરાધિયોનું આશ્રયસ્થાન હતું પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. માટે સરકાર અને સમાજને આ શહેર પ્રત્યે પોતાનો નજરીયો બદલવાની જરૂર છે.