શશિ થરુરે પીએમ મોદીના ભાષણ પર કમેન્ટ કર્યા બાદ માંગી માફી, કહ્યુ - માત્ર હેડલાઈન વાંચીને કરી કમેન્ટ
કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરુરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઢાકામાં આપેલા ભાષણ પર કરેલ કમેન્ટ માટે માફી માંગી છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરુરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બાંગ્લાદેશની આઝાદીની સ્વર્ણ જયંતિ અને રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી પર ઢાકામાં આપેલા ભાષણ પર કરેલ કમેન્ટ માટે માફી માંગી છે. થરુરે કહ્યુ કે તેમણે માત્ર હેડિંગ વાંચીને આ મામલે કમેન્ટ કરી દીધી હતી પરંતુ હવે તે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગે છે.

શું કહ્યુ હતુ પીએમ મોદીએ
બાંગ્લાદેશની આઝાદીની સ્વર્ણ જયંતિ પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદી માટે તેમણે પોતાના ઘણા સાથીઓ સાથે સત્યાગ્રહ કર્યો હતો અને તેના માટે તેઓ જેલમાં પણ ગયા હતા. તેમણે કહ્યુ હતુ, 'બાંગ્લાદેશની આઝાદી માટે સંઘર્ષમાં શામેલ થવુ મારા જીવનના પહેલા આંદોલનોમાંનુ એક હતુ. મારી ઉંમર એ વખતે 20-22 વર્ષ હતી જ્યારે મે મારા ઘમા સાથીઓ સાથે બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો.'
શું બોલ્યા હતા શશિ થરુર
મોદીજીનાઆ ભાષણ પર પ્રતિક્રિયા આપીને શશિ થરુરે ટ્વિટ કર્યુ હતુ, 'આંતરાષ્ટ્રીય જ્ઞાનઃ આપણા પ્રધાનમંત્રી બાંગ્લાદેશને ભારતીય 'નકલી ખબર'નો સ્વાદ ચખાડી રહ્યા છે. દરેક જણ જાણે છે કે બાંગ્લાદેશને કોણે આઝાદ કરાવ્યો.'
ઢાકામાં આપેલા પોતાના ભાષણમાં મોદીએ બાંગ્લાદેશને આઝાદ કરાવા માટે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના યોગદાનને પણ યાદ કર્યુ. તેમણે બાંગ્લાદેશને આઝાદ કરાવામાં ઈન્દિરા ગાંધીના યોગદાનને યાદ કરીને કહ્યુ હતુ કે બધા જાણે છે કે બાંગ્લાદેશની આઝાદીમાં ઈન્દિરા ગાંધીએ શું યોગદાન કર્યુ હતુ.
શશિ થરુરે બાદમાં માંગી માફી
જ્યારે થરુરને જાણવા મળ્યુ કે પીએમ મોદીએ બાંગ્લાદેશની આઝાદીમાં ઈન્દિરા ગાંધીના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો છે ત્યારે તેમણે માફી માંગી છે. પોતાના ટ્વિટમાં થરુરે લખ્યુ, 'મને પોતાની ભૂલ પર માફી માંગવામાં બિલકુલ ઝિઝક નથી. કાલે મે માત્ર હેડલાઈન વાંચીને ટ્વિટ કર્યુ હતુ કે દરેક જણ જાણે છે કે બાંગ્લાદેશને કોણે આઝાદ કરાવ્યુ. જેનો અર્થ એ હતો કે નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીના યોગદાનને ન જણાવ્યુ. પરંતુ તેમણે આનો ઉલ્લેખ કર્યો. સૉરી.' તેમણે એક વીડિયો લિંક પણ શેર કરી જેમાં મોદી ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરી રહ્યા છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
