મંગળવારે શિંદે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે, 11 વાગ્યે કાર્યક્રમ-સૂત્રો
એક મહિનાથી વધુ સમય વિત્યા બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એકનાથ કેબિનેટનું વિસ્તરણ મંગળવારે સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર રાજભવનમાં થઈ શકે છે.
મુંબઈ : એક મહિનાથી વધુ સમય વિત્યા બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એકનાથ કેબિનેટનું વિસ્તરણ મંગળવારે સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર રાજભવનમાં થઈ શકે છે. સમાચાર મુજબ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ વિભાગ મળવાની આશા છે. સાથે જ કેબિનેટમાં ઓછામાં ઓછા 15 મંત્રીઓને સામેલ કરી શકાય છે.

મળતા અહેવાલો અનુસાર મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ શિંદે કેબિનેટનો ભાગ બનવા જઈ રહ્યા છે. મહાવિકાસ અઘાડી ગઠબંધન અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે સામે મોરચો ખોલ્યા પછી શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ભાજપ સાથે ગઠબંધનમાં પાર્ટીના ધારાસભ્યોને સાથે લઈને મહારાષ્ટ્રમાં સત્તા બદલી હતી. આ સ્થિતિમાં હવે સીએમ પદના શપથ લીધાના લગભગ એક મહિના બાદ હવે મહારાષ્ટ્રની શિંદે સરકાર તેના કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહી છે.
Maharashtra cabinet expansion likely tomorrow at 11 am at Maharashtra Raj Bhavan: Sources pic.twitter.com/pwFGFdxQo0
— ANI (@ANI) August 8, 2022
30 જૂનના રોજ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આવી સ્થિતિમાં બંને મંત્રીઓ બે સભ્યોની કેબિનેટ તરીકે કામ કરી રહ્યા છે. વિપક્ષના નેતા અજિત પવાર સહિત અનેક વિપક્ષી દળો કેબિનેટનું વિસ્તરણ ન કરવાને લઈને સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. એનસીપી નેતા અજિત પવારે શનિવારે કહ્યું હતું કે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકાર જ્યાં સુધી દિલ્હીથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી કેબિનેટનું વિસ્તરણ નહીં કરી શકે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
