Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મંગળવારે શિંદે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે, 11 વાગ્યે કાર્યક્રમ-સૂત્રો

એક મહિનાથી વધુ સમય વિત્યા બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એકનાથ કેબિનેટનું વિસ્તરણ મંગળવારે સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર રાજભવનમાં થઈ શકે છે.

મુંબઈ : એક મહિનાથી વધુ સમય વિત્યા બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એકનાથ કેબિનેટનું વિસ્તરણ મંગળવારે સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર રાજભવનમાં થઈ શકે છે. સમાચાર મુજબ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ વિભાગ મળવાની આશા છે. સાથે જ કેબિનેટમાં ઓછામાં ઓછા 15 મંત્રીઓને સામેલ કરી શકાય છે.

Shinde cabinet

મળતા અહેવાલો અનુસાર મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ શિંદે કેબિનેટનો ભાગ બનવા જઈ રહ્યા છે. મહાવિકાસ અઘાડી ગઠબંધન અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે સામે મોરચો ખોલ્યા પછી શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ભાજપ સાથે ગઠબંધનમાં પાર્ટીના ધારાસભ્યોને સાથે લઈને મહારાષ્ટ્રમાં સત્તા બદલી હતી. આ સ્થિતિમાં હવે સીએમ પદના શપથ લીધાના લગભગ એક મહિના બાદ હવે મહારાષ્ટ્રની શિંદે સરકાર તેના કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહી છે.

30 જૂનના રોજ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આવી સ્થિતિમાં બંને મંત્રીઓ બે સભ્યોની કેબિનેટ તરીકે કામ કરી રહ્યા છે. વિપક્ષના નેતા અજિત પવાર સહિત અનેક વિપક્ષી દળો કેબિનેટનું વિસ્તરણ ન કરવાને લઈને સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. એનસીપી નેતા અજિત પવારે શનિવારે કહ્યું હતું કે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકાર જ્યાં સુધી દિલ્હીથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી કેબિનેટનું વિસ્તરણ નહીં કરી શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X