For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શિવસેનાએ બંધ પાળવા કોઇની પર દબાણ નથી કર્યું'

|
Google Oneindia Gujarati News

sanjay raut
મુંબઇ, 20 નવેમ્બર: શિવસેનાના નેતા સંજય રાઉતે એક સમાચાર ચેનલને જણાવ્યું કે 'શિવસેનાએ બંધ પાળવા માટે કોઇની પર પણ દબાણ કર્યું નથી.' તેમણે જણાવ્યું કે 'મુંબઇ અને થાણેમાં 25 લાખ શિવસૈનિકોએ સ્વેચ્છાએ બાળા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાની દૂકાનો બંધ રાખી હતી.'

સંજયે જણાવ્યું કે 'જો કોઇ યુવાન કોઇ સોશિયલ સાઇટ પર આ અંગે વાંધાજનક ટિપ્પણી કરે છે જેનાથી કાનૂન વ્યવસ્થા બગડવાનો ડર છે તો પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ખોટી નથી.'

ઉલ્લેખનીય છે કે શિવસેના સુપ્રિમો બાળા સાહેબ ઠાકરેના નિધન બાદ મુંબઇ સંપૂર્ણપણે બંધ થઇ ગયુ હતું, જેને લઇને પાલઘર રહેવાસી 21 વર્ષીય શાહીન ઢાઢાએ ફેસબુક પર કોમેન્ટ કરી હતી કે બાળ ઠાકરેના મૃત્યુ પછી શા માટે મુંબઇ શહેર બંધ પાળી રહ્યું છે. આ પ્રકારની કોમેન્ટ બાદ મુંબઇ પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરી હતી.

આ પ્રકારની કોમેન્ટના અમુક કલાક પછી શાહીનના કાકાની હોસ્પિટલ પર અમુક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હિંસા અને તોડફોડ કરવા સબબ ગુન્હો નોંધ્યો હતો.

English summary
Shiv Sena spokesman Sanjay Raut in the wake of reports that shops, commercial establishments and educational institutions would remain closed on Monday to mourn the death of Bal Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X