For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગ વિવાદ: બીસીસીઆઇના પાંચેય ઉપાધ્યક્ષો આપી શકે છે રાજીનામુ

|
Google Oneindia Gujarati News

srinivasan
નવી દિલ્હી, 1 જૂન : સ્પોટ ફિક્સિંગ વિવાદ બાદ બીસીસીઆઇના ઉપાધ્યાક્ષ અરૂણ જેટલીએ કહ્યું કે એક દિવસની અંદર આ મામલામાં આપને મોટા સમાચાર મળશે. આ પહેલા જેટલી આ મામલે કઇ પણ નિવેદન આપવાથી બચી રહ્યા હતા. પહેલી વાર અરૂણ જેટલી એ આ મુદ્દે ખુલીને મીડિયા સામે વાત કરી છે.

જ્યારે કોંગ્રેસના મહામચિવ દિગ્વિજય સિંહનું કહેવું છે કે શ્રીનિવાસન પર નિર્ણય બીસીસીઆઇ અને બોર્ડના લોકો કરશે.

આ પહેલા સ્પોટ ફિક્સિંગ મામલામાં બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનના મામલા પર આખરે બીસીસીઆઇની દરાર સામે આવી જ ગઇ. બીસીસીઆઇના સેક્રેટરી સંજય જગદાલે અને કોષાધ્યક્ષ અજય શિર્કેએ રાજીનામુ આપી દીધું છે અને આ રાજીનામાથી સ્પષ્ટ થાય છે કે બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસન પર હવે પોતાના પદ પરથી રાજીનામુ આપવાનું દબાણ ઘણું વધી ગયું છે.

બીસીસીઆઇના કોષાધ્યાક્ષ અજ શિર્કેએ બુધવારે પણ શ્રીનિવાસનના નૈતિક આધાર પર રાજીનામું આપવાની વાત કરી હતી. સાથે સૂત્રોના હવાલાથી એ પણ સમાચાર આવી રહ્યા છે કે બીસીસીઆઇના પાંચ ઉપાધ્યક્ષો પોતાના પદ પરથી ટૂંક સમયમાં રાજીનામુ આપી દેવાના છે.

English summary
Spot fixing issue: If N Srinivasan not quit then Five vice presidents of BCCI may quit soon, say sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X