Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અથડામણ દરમિયાન આતંકીઓએ જવાનને બંધક બનાવ્યો

jammu-kashmir-map
શ્રીનગર, 21 ઑક્ટોબરઃબારામૂલા બાઇપાસ પર આતંકી હુમલાના ચોવીસ કલાક બાદ શનિવારે સાંજે ઉત્તર કાશ્મિરના સોપોરમાં એક અથડામણમાં બે સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થઇ ગયા. આતંકીઓ એક વિસ્તારમાં છુપાયેલા છે, જેમની શોધખોળ માટે આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ વચ્ચે એવા સમાચાર આવી રહ્યાં છે કે આતંકવાદીઓ દ્વારા સેનાના એક જવાનને બંધક બનાવવામાં આવ્યો છે. સેનાએ આખા વિસ્તારને ખાલી કરાવ્યું છે.

માહિતી અનુસાર સાંજે સાડા ચાર વાગ્યે સોપોરથી બે કિલોમીટર દૂર શાલપોરા ગામમાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાની સૂચના મળતાં પોલીસ, 22 આઆર અને 179 સીઆરપીએફના જવાનોએ સંયુક્ત અભિયાન હાથ ધર્યું. જે દરમિયાન આતંકવાદીએ ભાગવાનો પ્રયાસ કરતા જવાનોએ બે ગ્રેનેડ ફેંક્યા, જેમાં બે સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ કરતા એક વિસ્તારમાં ઘુસી ગયા. જવાનોએ સામે ફાયરિંગ કરવાનું વિચાર્યું, પરંતુ રમી રહેલા બાળકોની સુરક્ષા અંગે વિચારતા તેવું કર્યું નહીં.

ત્યારબાદ વિસ્તારના ચારેકોરથી ઘેરી લેવામાં આવ્યો. આતંકવાદીઓ છૂપાયેલા હોવાની સુચના મળતા જ એસડીએમ સોપોર મોહમ્મદ હનીફ બલકી સાથે પોલીસ, સીઆરપીએફ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા. તેમણે આસપાસ સ્થિત મકાનોના લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યાં. આ દરમિયાન આતંકવાદીઓ જવાનો પર સમયાંતરે ફાયરિંગ પણ કરતા રહ્યાં. એસડીએમ સોપારે કહ્યું કે, વરસાદ અને રાત હોવાના કારણે હાલ ફાયરિંગ બંધ છે, પરંતુ આતંકવાદીઓના ભાગવાના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X