For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અથડામણ દરમિયાન આતંકીઓએ જવાનને બંધક બનાવ્યો

By Super
|
Google Oneindia Gujarati News

jammu-kashmir-map
શ્રીનગર, 21 ઑક્ટોબરઃબારામૂલા બાઇપાસ પર આતંકી હુમલાના ચોવીસ કલાક બાદ શનિવારે સાંજે ઉત્તર કાશ્મિરના સોપોરમાં એક અથડામણમાં બે સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થઇ ગયા. આતંકીઓ એક વિસ્તારમાં છુપાયેલા છે, જેમની શોધખોળ માટે આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ વચ્ચે એવા સમાચાર આવી રહ્યાં છે કે આતંકવાદીઓ દ્વારા સેનાના એક જવાનને બંધક બનાવવામાં આવ્યો છે. સેનાએ આખા વિસ્તારને ખાલી કરાવ્યું છે.

માહિતી અનુસાર સાંજે સાડા ચાર વાગ્યે સોપોરથી બે કિલોમીટર દૂર શાલપોરા ગામમાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાની સૂચના મળતાં પોલીસ, 22 આઆર અને 179 સીઆરપીએફના જવાનોએ સંયુક્ત અભિયાન હાથ ધર્યું. જે દરમિયાન આતંકવાદીએ ભાગવાનો પ્રયાસ કરતા જવાનોએ બે ગ્રેનેડ ફેંક્યા, જેમાં બે સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ કરતા એક વિસ્તારમાં ઘુસી ગયા. જવાનોએ સામે ફાયરિંગ કરવાનું વિચાર્યું, પરંતુ રમી રહેલા બાળકોની સુરક્ષા અંગે વિચારતા તેવું કર્યું નહીં.

ત્યારબાદ વિસ્તારના ચારેકોરથી ઘેરી લેવામાં આવ્યો. આતંકવાદીઓ છૂપાયેલા હોવાની સુચના મળતા જ એસડીએમ સોપોર મોહમ્મદ હનીફ બલકી સાથે પોલીસ, સીઆરપીએફ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા. તેમણે આસપાસ સ્થિત મકાનોના લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યાં. આ દરમિયાન આતંકવાદીઓ જવાનો પર સમયાંતરે ફાયરિંગ પણ કરતા રહ્યાં. એસડીએમ સોપારે કહ્યું કે, વરસાદ અને રાત હોવાના કારણે હાલ ફાયરિંગ બંધ છે, પરંતુ આતંકવાદીઓના ભાગવાના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યાં છે.

English summary
As the gunfight between the security forces and the separatist guerrillas continued in north Kashmir's Sopore town on Sunday, a jawan was reportedly taken hostage by militants.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X