વર્ગખંડમાં 'યસ સર'ની જગ્યાએ 'જય હિંદ' બોલશે વિદ્યાર્થીઓ?
મધ્ય પ્રદેશની સરકારી શાળાઓમાં હાજરી પૂરાવતી વખતે 'યસ સર' નહીં, 'જય હિંદ' બોલશે વિદ્યાર્થીઓ.
વર્ગખંડમાં હાજરી પુરાવતી વખતે વિદ્યાર્થીઓ 'યસ સર' કે 'યસ ટીચર' બોલતા હોય છે, પરંતુ મધ્ય પ્રદેશ સરકાર આ નિયમમાં પરિવર્તન લાવવા જઇ રહી છે. મધ્ય પ્રદેશના શિક્ષા મંત્રી કુંવર વિજય શાહે એક નવો અને વિવાદિત નિયમ લાગુ કર્યો છે. આ નવા નિયમ હેઠળ હવે સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓએ હાજરી પુરાવતી વખતે 'જય હિંદ' બોલવાનું રહેશે. સરકારી શાળાઓમાં આ નિયમનું કડકાઇ પૂર્વક પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આથી હાજરી પુરાવતી વખતે વિદ્યાર્થીઓએ 'જય હિંદ' બોલવું ફરજિયાત છે. આ નિયમની શરૂઆત સતના જિલ્લાથી કરવામાં આવશે. વિજય શાહે કહ્યું કે, સતનામાં જો આ પ્રયોગ સફળ રહ્યો તો મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અનુમતિથી સમગ્ર પ્રદેશમાં આ નિયમ લાગુ કરવામાં આવશે.

જો કે, સતનામાં આવેલ પ્રાઇવેટ શાળાઓ પર આ નિયમનું પાલન કરવાનું દબાણ કરવામાં નહીં આવે. આશા રાખવામાં આવી રહી છે કે, આ દેશભક્તિને લગતો નિયમ હોવાથી પ્રાઇવેટ શાળાઓ પણ તેને જરૂર લાગુ કરશે. મંત્રી કુંવર વિજય શાહ અનુસાર, 1 ઓક્ટોબરથી આ નિયમ લાગુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગે એ હેતુથી વિજય શાહે આ નિયમ કાઢ્યો હોવાનું કહેવાય છે. કેટલાક લોકો આ નિયમને મધ્ય પ્રદેશમાં થનાર વિધાનસભાની ચૂંટણી સાથે જોડી રહ્યાં છે. સતનાથી શરૂ કરવામાં આવનાર આ નિયમ સફળ થતાં ભવિષ્યમાં આખા મધ્ય પ્રદેશમાં લાગુ કરવામાં આવે એવી શક્યતા છે. હાલ અધિકૃત રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી, તો બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ મામલે કોઇ ટિપ્પણી કરવામાં નથી આવી.
Schools in Satna directed to ensure students answer roll call with 'Jai Hind' instead of 'Yes Sir/Madam' from Oct 1:V Shah,MP School Edu Min pic.twitter.com/raFS25sGVp
— ANI (@ANI) September 13, 2017












Click it and Unblock the Notifications
