સૂર્યનેલ્લી રેપઃ સુનાવણી ચાર માર્ચ સુધી સ્થગિત
જજ કેટી શંકરન અને જજ એમએલ જોસેફ ફ્રાન્સિસે કહ્યું કે, આ કેસની અપીલ અને દસ્તાવેજ સુપ્રીમ કોર્ટ પાસેથી મળ્યા નથી અને તેને જોયા વગર આગળની કાર્યવાહી કી શકાય તેમન નથી, જો કે, આરોપીએ ઇચ્છતા હતા કે તેમની અરજી પર આજે જ સુનાવણી કરવામાં આવે.
આરોપીએ અનુસાર, ઉચ્ચ ન્યાયાલયે મામલાના ગુણદોષ જોયા વગર માત્ર ટેક્નિકના આધારે નિર્ણય સંભળાવ્યો છે. આરોપીઓને સેસન કોર્ટે દોષી ઠેરવ્યા હતા અને સજા સંભળાવી હતી. 2005માં ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠે જે 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, તેમાં ઉક્ત આરોપીઓ પણ સામેલ હતા.
જો કે, સુપ્રીમ કોર્ટે ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને અવગણી આરોપીઓને વિશેષ અદાલત સમક્ષ આત્મ સમર્પણ કરવા કહ્યું છે. જમાનત અરજી દાખલ કરનારાઓમાં આરોપી રાજન અને ચેરિયન પણ છે, તેમણે એવી દલીલ કરી કે આરોપોને સાબિત કરવા માટે કોઇ પુરાવા નથી.
મામલો 16 વર્ષની એક સગીરા સાથે જોડાયેલો છે, જેનું 1996માં અપહરણ કરી અનેક સ્થળોએ લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલામાં કુરિયનને નિર્દોષ છોડી મુકવામા આવ્યા હતા, પરંતુ પીડિતાએ તેમનું નામ એ વ્યક્તિઓમાં લીધું જેમણે તેની સાથે કથિત રીતે બળાત્કાર કર્યો હતો.