રિલાયન્સ જિયોનું કેનેક્શન લઈને ફસાઈ તો નથી ગયા ને તમે?
આજકાલ દરેક વ્યક્તિના મોઢા પર એક જ નામ છે અને તે છે રિલાયન્સ જીયો. મુકેશ અંબાણીએ એજીએમ કાર્યલયથી રિલાયન્સ જીયોના ફાયદોઓ વિષે લોકોને જાણકારી આપી હતી. જીયોના ગ્રાહકો માટે તમામ કોલ્સ સંપૂર્ણ પણે મફત રહેશે. જીયોના ગ્રાહકોને વાઇસ કોલ માટે પૈસા આપવાની જરૂર નહીં પડે.
રિલાયન્સ જિયો લોન્ચ થવાની સાથે જ બીજી ટેલિકોમ કંપનીઓની ઊંગ ઉડી ગયી છે. રિલાયન્સ જિયોનો મુકાબલો કરવા માટે તેમને હવે બીજો રસ્તો અપનાવ્યો છે. બીજી કંપનીઓ રિલાયન્સ જિયો નેટવર્કની કોલ પોતાના નેટવર્ક પર કનેક્ટ કરવા માટે વધારે પૈસાની માંગ કરી રહી છે.
નિયમ મુજબ ઇન્ટરકનેક્ટ યુઝર ચાર્જ 14 પૈસા પ્રતિમિનિટ છે. કંપનીઓએ વધારે પૈસાની માંગ ત્યારે કરી જયારે રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો કે જિયો નેટવર્કની કોલ બીજા નેટવર્ક પર કનેક્ટ નથી થઇ રહી.
રિલાયન્સ જિયોએ બીજી કંપનીઓ પર ટેલિકોમ લાઇસન્સની શરતોનું પાલન ના કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રિલાયન્સ જિયોની પ્રતિસ્પર્ધી કંપનીએ બેઠક બોલાવી અને તેમાં પોતાની માંગ રજુ કરી.
બીજી કંપનીઓએ કહ્યું કે તેઓ રિલાયન્સ જિયોની કોલ કનેક્ટ કરી શકે છે. પરંતુ ફ્રી વોઇસ કોલિંગને કારણે જિયોની કોલમાં ખુબ જ વધારે થયો છે. જેના કારણે તેમના ઓપેરશનમાં મુશ્કેલી આવી રહી છે અને તેમના પર આર્થિક બોજો વધી રહ્યો છે.
મળતી માહિતી મુજબ બીજા ટેલિકોમ ઓપેરટરે કહ્યું કે રિલાયન્સ જિયોના કારણે આઉટગોઈંગ કોલ્સનો ફલૉ વધી રહ્યો છે. જેના કારણે તેમના નેટવર્કમાં મુશ્કિલો આવી રહી છે. તેના માટે વધારે પૈસા વધારવાની જરૂર છે. આપણે જણાવી દઈએ કે રેટ વધારવાનો અધિકાર ટ્રાઇ પાસે છે. આ સંબંધમાં સુજાવ પત્ર પણ સામે લાવવામાં આવ્યું છે.