For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાકરેની ધમકી: ભારત-પાક વચ્ચે વચ્ચે ક્રિકેટ સીરીઝ રમાવવા દઇશું નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bal-thackrey-old
નવી દિલ્હી, 4 નવેમ્બર: શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ ધમકી આપી છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતા મહિને યોજાનારી ક્રિકેટ સીરીઝ થવા નહી દે. પાર્ટીના મુખપત્ર 'સામના'ના તંત્રીલેખમાં બાલ ઠાકરેએ કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેના નિવેદનની આકરી ટીકા કરી છે. સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ' જે કંઇપણ થયું તેને ભૂલી જાવ અને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમે.'

બાલ ઠાકરેએ લખ્યું છે કે 'જો સુશિલ કુમાર શિંદેએ હિન્દુસ્તાન-પાકિસ્તાન વચ્ચેના મેચ નિવેદન પાછું નહી લે તો તે લોકોને અપીલ કરશે કે પાકિસ્તાનની જ્યાં જ્યાં મેચ રમાવવાની છે તે મેચોને ઉધાડી ફેંકવાની અપીલ કરશે.

બાલ ઠાકરેએ શિંદે પર સવાલ કરતાં કહ્યું હતું કે તે પાકિસ્તાનને ભારતમાં ક્રિકેટ મેચ રમાડવાની નાદાની કેમ કરી રહ્યાં છે? શિંદે કહે છે કે બધુ ભૂલી જાવ પરંતુ પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઇ પર જે કહેર વર્તાવ્યો હતો તેને કેવી ભૂલી જઇએ. 26/11ના જખમો હજી ભર્યા નથી તે હજુ સુધી તાજા છે.

ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો પહેલાં ગૃહ મંત્રાલયે ભારત અને પાકિસ્તાનના વચ્ચેની સીરીજને લીલીઝંડી આપી હતી. પાંચ વર્ષ બાદ બંને દેશો વચ્ચે ડિસેમ્બરના અંતમાં મેચ રમાશે. જો કે ભારત-પાકિસ્તાનની એકપણ મેચ મુંબઇમાં રાખવામાં આવી નથી. પરંતુ ઠાકરેના આ નિવેદનથી સીરીજ પર સંકટ આવી શકે છે.

English summary
Ailing Shiv Sena chief Bal Thackeray lashed out at Union Home Minister Sushilkumar Shinde over the latter's remark "let bygones be" in the context of resumption of cricketing ties between India and Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X