હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન વખતે સળગતુ પુતળુ લોકો પર પડ્યુ, કેટલાક લોકો ઘાયલ!
મળતી વિગતો અનુસાર, હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન દરમિયાન રાવણનું પુતળુ સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે.
યમુનાનગર : દેશભરમાં આજે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ જગ્યાઓ પર લોકો રાવણ દહન કરી રહ્યા છે. આ દરમિયાન હરિયાણાના યમુનાનગરથી દુર્ધટનાના સમાચાર સામે આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન દરમિયાન રાવણનું પુતળુ સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. તમને જણાવી દઈએ કે, યમુનાનગરમાં દશેરા ગ્રાઉન્ડમાં આ ઉજવણી ચાલી રહી હતી, આ દરમિયાન પુતળુ તુડ્યુ હતુ અને સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. જેમાં 7 લોકો દંટાયા હતા.
#WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH
— ANI (@ANI) October 5, 2022
આ દુર્ઘટનાને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના દરમિયાન 3 લોકોને ઈજા પહોંચી હતી તો 2 લોકો ફટાકડાને કારણે દાઝ્યા હતા. જો કે નાસભાગ સર્જાતા પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો.