For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની સુરક્ષામાં 2 જવાનોના મોત, 5 ઇજાગ્રસ્ત

|
Google Oneindia Gujarati News

bihar
પટણા, 1 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્ર નરેન્દ્ર મોદી આજે પટણા વિસ્ફોટના પીડિતોને મળવા માટે બિહાર જઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ગુજરાતમાંથી એક આખી ટીમ બિહાર રવાના કરાઇ હતી. જેમાં 16 આઇપીએસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય પોલીસ જવાનોના કાફલાનો સમાવેશ થાય છે. પરંતુ સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી અનુસાર બિહાર જઇ રહેલી આ ટીમની ગાડીનું ટ્રક સાથે ટકરાતા અકસ્માત થયું છે અને તેમાં બે બોમ્બ સ્ક્વોડ અધિકારીઓનું મોત નિપજ્યું છે.

મળતી જાણકારી અનુસાર યુપીના ફિરોઝાબાદની નજીક સિરસાગંઝમાં નેશનલ હાઇવે પર જઇ રહેલી ગુજરાત પોલીસની કાર અને ટ્રકમાં ટક્કર થઇ ગઇ. આ ઘટનામાં 2 પોલીસ જવાનોના મોત થયા છે અને 5 ઘાયલ થયા છે. મૃતકોમાં એક ડ્રાઇવર અને એક બોમ્બ સ્ક્વોડના એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ ગુજરાત પોલીસની ટીમ પટણા પ્રવાસે આવી રહેલા મોદીની સુરક્ષા માટે આવી રહી હતી.

મોદીના બિહાર પ્રવાસને પગલે સુરક્ષા માટે એડીજી, બે ડીઆઇજી, 12 ડીએસપી અને એક હજાર એસટીએફના જવાનો ગુજરાતથી બિહાર જઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીની આ સુરક્ષા ટીમ તેમની પહેલા પહોંચીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરના રોજ ભાજપે પટણાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દરમિયાન 6 વિસ્ફોટો થયા હતા. જેમાં 6 લોકોના મોત થયા હતા અને 80 વધુ લોકો ગંભીર રીતે ગવાયા હતા. મોદીની રેલીમાં વિસ્ફોટ થવાના પગલે દેશની રાજનીતિમાં જોરદાર અફડાતફડી મચી જવા પામી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે આજે રાત્રે નરેન્દ્ર મોદી પટણા જવા માટે રવાના થવાના છે, અને 2 નવેમ્બરના રોજ પીડિતો સાથે મુલાકાત કરશે, અને વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે પણ જશે.

English summary
Two bomb squad officer are killed in road accident while going Bihar for Modi's security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X