ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી 17 માર્ચના રોજ લેશે શપથ
ઉત્તર પ્રદેશમાં પૂર્ણ બહુમત સાથે ભાજપ સરકાર બની ચૂકી છે. પરંતુ હજુ સુધી ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.
ઉત્તર પ્રદેશ માં પૂર્ણ બહુમત સાથે ભાજપ સરકાર બની ચૂકી છે. પરંતુ હજુ સુધી એ ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ એવી ખબર આવી છે કે, ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના નવા મુખ્યમંત્રી 17 માર્ચના રોજ શપથ ગ્રહણ કરશે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપના સંસદીય બોર્ડથી લઇને આરએસએસ ની બેઠક સુધી અનેક નામોની ચર્ચા થઇ રહી છે.

તો બીજી બાજુ, ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. શપથ ગ્રહણ કાર્યક્રમ માટે લખનઉ પોલીસ હરકતમાં આવી ગઇ છે. એસએસપી લકનઉએ પણ આસપાસના જિલ્લાઓની સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવા માટે પત્ર લખ્યો છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે એવી શક્યતા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદ માટે રાજનાથ સિંહ નું નામ ચર્ચામાં આવતા, તેમણે આ વાત સંપૂર્ણપણે નકારી કાઢી હતી. યુપીના મુખ્યમંત્રી માટે રાજનાથ સિંહ સિવાય કેશવ પ્રસાદ મૌર્ય, મનોજ સિન્હા, સતીશ મહાના, સિદ્ધાર્થ નાથ સિંહ અને લખનઉના દિનેશ શર્માના નામ પણ ચર્ચામાં છે. મંગળવારના રોજ કેશવ પ્રસાદ મૌર્યએ વડાપ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી. આ કારણે જ તેમનું નામ પણ સૌતા મોકરે માનવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી યુપીના મુખ્યમંત્રી તરીકે સૌથી યોગ્ય ઉમેદવાર તરીકે રાજનાથ સિંહનું નામ ચર્ચામાં હતું, તેઓ વર્ષ 2001માં પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. તેઓ અનુભવી છે તથા સર્વ માન્ય નેતા તરીકે ઓળખાય છે. કેહવાઇ રહ્યું છે કે, બુધવારના રોજ ભાજપ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા કરી શકે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
