વેંકૈયા નાયડૂ બોલ્યા, 'શિંદે કેન ગો ટૂ હેલ'
શિંદેના આ નિવેદન બાદ લોકસભામાં વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે શિંદેની ટીકા કરી. સ્વરાજે શિંદેના નિવેદનને બેજવાબદાર ઠેરવ્યું હતું. આ વચ્ચે રાજ્ય સભામાં શિંદેના નિવેદનને લઇને જોરદાર હંગામો મચ્યો હતો. રાજ્યસભા ભંગ કરવાની ઘોષણા કરવામાં આવી તો ભાજપના નેતા વેંકૈયા નાયડુ ગુસ્સે ભરાયા હતા. નાયડુએ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પર આપત્તિજનક નિવેદન કર્યું હતું.
વેંકયા નાયડુએ ગુસ્સામાં કહ્યું કે, શિંદે કેન ગો ટૂ હેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે સંસદના હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવ્યા બાદ તેમને મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યું કે, આ ધમકી તેમને અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ કરવામાં આવેલા નિવેદન પછી 19 ફેબ્રુઆરીએ મળી હતી. નકવીએ કહ્યું કે તેમને આ પહેલા પણ આવી ઘમકીઓ મળી રહી હતી. તેમણે સરકાર પાસે સુરક્ષાની માંગ કરી છે. હૈદરાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ નકવીએ કેન્દ્ર અને આંધ્ર પ્રદેશ સરકાર પર સુરક્ષામાં ચુક રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સરકારની ઢીલી નીતિના કારણે દેશમાં આતંકવાદની વારદાતો વધી છે.