For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેંકૈયા નાયડૂ બોલ્યા, 'શિંદે કેન ગો ટૂ હેલ'

|
Google Oneindia Gujarati News

venkaiah-naidu
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ હૈદરાબાદમાં ગઇ કાલે થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં આતંકી ઘટનાની લોકસભામા આજે તમામ દળોએ એક સ્વરમાં નિંદા કરતા કહ્યું કે, આ સમય આરોપ પ્રત્યારોપનો નથી અને બધાએ મળીને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં એક મત થવાની જરૂર છે. આ સંબંધમાં જ્યારે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ નિવેદન આપ્યું તો જોરદાર હંગામો શરૂ થઇ ગયો. શિંદેએ લોકસભામાં કહ્યું કે તે આખી રાત ઉંઘી શક્યા નહોતા અને ટીવી પર જોતા રહ્યાં.

શિંદેના આ નિવેદન બાદ લોકસભામાં વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે શિંદેની ટીકા કરી. સ્વરાજે શિંદેના નિવેદનને બેજવાબદાર ઠેરવ્યું હતું. આ વચ્ચે રાજ્ય સભામાં શિંદેના નિવેદનને લઇને જોરદાર હંગામો મચ્યો હતો. રાજ્યસભા ભંગ કરવાની ઘોષણા કરવામાં આવી તો ભાજપના નેતા વેંકૈયા નાયડુ ગુસ્સે ભરાયા હતા. નાયડુએ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પર આપત્તિજનક નિવેદન કર્યું હતું.

વેંકયા નાયડુએ ગુસ્સામાં કહ્યું કે, શિંદે કેન ગો ટૂ હેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે સંસદના હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવ્યા બાદ તેમને મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યું કે, આ ધમકી તેમને અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ કરવામાં આવેલા નિવેદન પછી 19 ફેબ્રુઆરીએ મળી હતી. નકવીએ કહ્યું કે તેમને આ પહેલા પણ આવી ઘમકીઓ મળી રહી હતી. તેમણે સરકાર પાસે સુરક્ષાની માંગ કરી છે. હૈદરાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ નકવીએ કેન્દ્ર અને આંધ્ર પ્રદેશ સરકાર પર સુરક્ષામાં ચુક રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સરકારની ઢીલી નીતિના કારણે દેશમાં આતંકવાદની વારદાતો વધી છે.

English summary
Rajya Sabha ruckus triggered after Venkaiah Naidu says Sushil Kumar Shinde “can go to hell”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X