રસાયણથી કેવી રીતે નપુંસક બનાવી શકાય? શું આ રેપ અટકાવશે?
નવી દિલ્હી, 2 જાન્યુઆરી: દિલ્હીમાં ચાલુ બસે પેરામેડિકલની વિદ્યાર્થીની સાથે થયેલા ગેંગરેપ અને ત્યારબાદ તેની મોતે સૌથી મોટો પ્રશ્ન ઉભો કર્યો છે કે આખરે બળાત્કારની ઘટનાઓને કેવી રોકી શકાય. સોનિયા ગાંધી અને જયલલિતા સહિત કેટલાક લોકોએ સલાહ આપી છે કે બળાત્કારીને કેમિકલ કૈસ્ટ્રેશન કરી દેવા જોઇએ. એટલે કે રસાયણ નાંખીને નપુંસક બનાવી દેવા જોઇએ. અંતે આ કેમિકલ કેમિકલ કૈસ્ટ્રેશન શું છે અને શું આ બળાત્કારને રોકી શકશે?
શું છે કેમિકલ કૈસ્ટ્રેશન ?
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર કેમિકલ કૈસ્ટ્રેશન એક પ્રક્રિયા છે, જેના માધ્યમથી વ્યક્તિમાં યૌન ક્રિયાઓને સમાપ્ત કરવામાં આવી શકે છે. સર્જિકલ કૈસ્ટ્રેશનમાં પુરૂષોના વીર્યકોષ અથવા મહિલાઓના અંડાશયને નિકાળીને શરીરથી અલગ કરવામાં આવે છે. જ્યારે કેમિકલ કૈસ્ટ્રેશનમાં ના તો વ્યક્તિનું સંપૂર્ણ રીતે વીર્યકોષ હટાવવામાં આવે છે ના તો તેની નસબંધી કરવામાં આવે છે.
કેમિકલ કૈસ્ટ્રેશનમાં વ્યક્તિને એવી દવા આપવામાં આવે છે, જેનાથી તેનું વીર્યકોષ નિષ્ક્રિય થવા લાગે છે અને તે વ્યક્તિમાં યૌન ક્રિયાઓ સમાપ્ત થવા લાગે છે. એટલે કે ઉત્તેજિત થવા પર તેના લીંગમાં કોઇ અસર વર્તાતી નથી. પરંતુ વિશેષજ્ઞોનું માનીએ તો જો સારવાર કરવામાં આવે તો આ કેમિકલ કૈસ્ટ્રેશન બાદ પણ તે ફરીથી યૌન શક્તિ પ્રાપ્ત કરી શકે છે.
કેમિકલ કૈસ્ટ્રેશન અમેરિકા, ઇજરાઇલ અને આર્જેટીંના સહિત યૂરોપીય દેશમાં કરવામાં આવે છે. રૂસ અને ઉત્તર કોરિયામાં બળાત્કારના કેસોમાં કેમિકલ કૈસ્ટ્રેશનની સજા આપવામાં આવે છે. 1994 પ્રથમ વાર કેમિકલ કૈસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં ડાઇઇથાઇલસ્ટિલબેસ્ટ્રોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શું ભારતમાં આનાથી સમસ્યાનું સમાધાન થશે?
દિલ્હી ગેંગરેપ બાદ દેશભરમાં કેમિકલ કૈસ્ટ્રેશનની માંગ ઉઠી છે. ત્યારબાદ સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જેમાં બળાત્કારીઓને 30 વર્ષની જેલની સજા સાથે-સાથે રાસાણિક ક્રિયાથી નપુંસક બનાવવાની માંગણી કરી છે. મંત્રાલય આ બીલ તૈયાર કરી રહ્યું છે. બળાત્કાર વિરૂદ્ધ નવા કાયદા બનાવવામાં આવે તો શું બળાત્કાર અટકી શકશે. સવાલ એ ઉભો થાય છે કે જો બળાત્કારીઓનું કેમિકલ કૈસ્ટ્રેશન કરવામાં આવે તો શું લોકોમાં તેનો ડર પેદા થશે? કદાચ નહી, જ્યારે હત્યાના કેસમાં ફાંસીની સજાની જોગવાઇ હોવાછતાં લોકો ડરતા નથી તો કેમિકલ કૈસ્ટ્રેશન શું ડરશે?
-
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન?





Click it and Unblock the Notifications
