Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

WHOએ કેમ ભારતના આ કફ સિરપ પર મુક્યો પ્રતિબંધ? જાણો કારણ

WHOએ ભારતની 4 કફ સિરપને લઇ ચેતવણી જાહેર કરી છે. આ બાદ લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. લોકોને પ્રશ્નો થઇ રહ્યાં છેકે આ સિરપથી શું નુતશાન થશે? WHOએ સિરપને લઇ કેમ ચેતવણી જારી કરી છે? કોઇ વ્યક્તિએ પહેલા આ સિરપ પિધ

WHOએ ભારતની 4 કફ સિરપને લઇ ચેતવણી જાહેર કરી છે. આ બાદ લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. લોકોને પ્રશ્નો થઇ રહ્યાં છેકે આ સિરપથી શું નુતશાન થશે? WHOએ સિરપને લઇ કેમ ચેતવણી જારી કરી છે? કોઇ વ્યક્તિએ પહેલા આ સિરપ પિધુ હોય તો શું તેને કઇ સમસ્યા થઇ શકે છે? આવો જાણીએ કે આખરે WHOએ કેમ ચેતવણી જારી કરી..

WHOએ કેમ ચેતવણી આપી

WHOએ કેમ ચેતવણી આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કફ સિરપને લઈને આપવામાં આવેલી ચેતવણી બાદ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને તેની તપાસ શરૂ કરી છે. વાસ્તવમાં, ગામ્બિયામાં 66 બાળકોના કિડનીમાં ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયા હતા, જે પછી એક ભારતીય સંસ્થા આ સિરપની તપાસ કરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાર મેડ ઈન ઈન્ડિયા કફ સિરપનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.

ક્યાં ક્યાં સિરપનો છે સમાવેશ?

ક્યાં ક્યાં સિરપનો છે સમાવેશ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup એન Magrip N Cold Syrupઅંગે ચેતવણી જારી કરી છે. આ કફ સિરપનું ઉત્પાદન હરિયાણા સ્થિત Maiden Pharmaceuticals Limited દ્વારા કરવામાં આવે છે. કંપની માત્ર આ ટેસ્ટમાં નિષ્ફળ રહી છે, જેમાં Diethylene glycol અને ethylene glycolની મંજૂર માત્રા કરતાં વધુ મળી આવી હતી. તેમાં ભેળસેળ પણ જોવા મળી હતી, જેના કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ અંગે ચેતવણી જાહેર કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે ઉત્પાદકે આ ઉત્પાદનો માટે સલામતીની ગેરંટી પ્રદાન કરી નથી. આ ચારેય પ્રોડક્ટ્સ ધ ગામ્બિયામાં મળી આવી છે. બની શકે કે તેઓને અહીં બજારમાં ખોટા માધ્યમથી લઈ જવામાં આવ્યા હોય.

DIETHYLENE GLYCOL શું છે, શા માટે ખતરનાક છે?

DIETHYLENE GLYCOL શું છે, શા માટે ખતરનાક છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે DIETHYLENE GLYCOL એટલે DEG ઝેરી છે અને મનુષ્ય માટે ઘાતક પણ છે. આનાથી કિડનીને નુકસાન થઈ શકે છે, ચેતા નુકસાન થઈ શકે છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના રિસર્ચ પેપર મુજબ, આ કેમિકલનો ઉપયોગ કોસ્મેટિક્સ અને લુબ્રિકન્ટ્સમાં થાય છે, ફ્રોઝન પ્રોડક્ટ્સમાં નહીં. તેના ઉપયોગથી વ્યક્તિ કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે.

શું હોય છે લક્ષણ?

શું હોય છે લક્ષણ?

આ રસાયણનો સ્વાદ મીઠો હોય છે અને પાણીમાં ઓગળતા નથી. આ કેમિકલના ઉપયોગથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા, પેશાબ કરવામાં સમસ્યા, માથાનો દુખાવો, માનસિક તણાવ, કિડનીમાં ગંભીર ઈજા જેવી સમસ્યાઓ થઈ શકે છે. રિસર્ચ પેપર મુજબ આ કેમિકલના ઉપયોગથી 10 મોટા કેસ નોંધાયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો તેને પીતા હતા અને બીમાર પડ્યા હતા.

તાત્કાલિક પ્રતિબંધ

તાત્કાલિક પ્રતિબંધ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેની ચેતવણીમાં કહ્યું છે કે જ્યાં સુધી નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રોડક્ટના તમામ બેચને અસુરક્ષિત ગણવામાં આવે. જો તે કોઈપણ દેશમાં ઉપલબ્ધ હોય, તો તેની તરત જ વિશ્વ આરોગ્ય સંસ્થાને જાણ કરવી જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X