તો શું નિતિશ-અડવાણી પોતાને ઇતિહાસ બનાવી દિધા?
નવી દિલ્હી, જૂનની ગરમી વચ્ચે ભારતીય રાજકારણમાં આવેલી રાજકીય ઉથલપાથલથી તાપમાનમાં વધારો થયો છે. રાજકીય વર્તુળમાં નવા સમીકરણોનો નવો અડ્ડો બની ગયો છે. ક્યાંક જૂના સાથીઓ છૂટા પડી રહ્યાં છે તો ક્યાંક નવા રાજકીય ગણિત માંડવામાં આવ્યું રહ્યું છે. ભાજપમાં આવેલું રાજકીય વાવાઝોડું બે જુના સાથીઓના વલણનું પરિણામ છે. નિતિશ કુમારે એનડીએનો સાથ છોડ્યો તો વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી નખરા બતાવવાનું શરૂ કરી દિધું. અને એ પણ એવા સમયે જ્યારે 10 મહિનામાં આરપારની લડાઇ છે.

ભાજપાના બે અનુભવી ખેલાડીઓએ છેલ્લી ઘડીએ દગો આપ્યો. જે નરેન્દ્ર મોદીના નામ પર આટલું મોટું રાજકીય નાટક રમવામાં આવ્યું, થોડા દિવસો પહેલાં તે જ નરેન્દ્ર મોદીના નામ પર આ લોકો નમો-નમો કરતાં જોવા મળતા હતા. નરેન્દ્ર મોદી મોદીની હિન્દુત્વવાદીની છાપને હથિયાર બનાવીને તેમના વિરૂદ્ધ ઉપયોગ કરનાર આ જ નેતાઓએ પણ તેમની પેટ ભરીને પ્રશંસા કરી હતી. તો પછી શું કારણ છે કે અડવાણી અને નિતિશ કુમારના નામ પર ભાજપમાં હોબાળો મચાવી દિધો.
નરેન્દ્ર મોદીના હિન્દુત્વથી દૂર રહેનર નિતિશ કુમારે તેને આધાર બનાવીને એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો, એ જ નિતિશ કુમાર 2002માં થયેલા ગુજરાતના રમખાણો સમયે રેલવે મંત્રી હતા. સેક્યૂલર છાપનો રાગ છેડનાર નિતિશ કુમાર તે સમયે ચૂપ કેમ હતા. 2014ની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં સોંપવામાં આવતાં જે અડવાણીએ ભાજપમાં ઉથલ-પાથલ મચાવી હતી, તે 2002ના રમખાણો સમયે ચૂપ કેમ હતા, જ્યારે તે ગૃહમંત્રી ઉપરાંત દેશના ઉપ-વડાપ્રધાન હતા. તે સમયે તેમને નરેન્દ્ર મોદીની હિન્દુત્વવાદી છબિથી કોઇ વાંધો ન હતો તો પછી આ દસ વર્ષોમાં એવું તે શું થયું કે નરેન્દ્ર મોદીના નામ પર નિતિશ-અડવણીએ નવી રાજકીય ચેસ પાથરી દિધી.
કારણ એ જ છે કે નરેન્દ્ર મોદી દમદાર વ્યક્તિ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સતતવાર વિધાનસભાની ચૂંટણીમાં જીત અપાવીને પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તર પોતાની દાવેદારીને મજબૂતી પ્રદાન કરી. નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય કૌશલ્યથી પાર્ટીમાં પોતાને સૌથી મોટા અને લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત કરી દિધા. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની પણ એક ટુકડી નરેન્દ્ર મોદીમાં હિન્દુત્વના નાયકનું રૂપ જોવા લાગી છે. આ વાત ગોવાની રાષ્ટ્રીય કાર્યકારીણી અને ત્યારબાદ અડવાણીનું રાજીનામુ અને ત્યારબાદ રાજીનામું પરત ખેંચવાના નાટક બાદ સ્પષ્ટ થઇ ગયું છે. નરેન્દ્ર મોદીની આ છબિથી કેટલાક નેતાઓ બળતરા અનુભવે છે. નિતિશ કુમારે ભૂગર્ભ જઇ ચૂકેલા બિહારને વિકાસના પાટા પર ચઢાવીને રાષ્ટ્રનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. બિહારનો વિકાસ દર ગુજરાત કરતાં વધારે પહોંચાડી દિધો.
પરિણામ એવું આવ્યું કે નિતિશ કુમારની મહાત્વાકાંક્ષાઓ સાતમા આસમાને પહોંચવા લાગી, પરંતુ નરેન્દ્ર મોદી અને નિતિશ કુમારમાં મજબૂત વ્યક્તિત્વનો ભેદ નરેન્દ્ર મોદીને આગળ લઇ આવ્યો. રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદીનું વધતા જતા કદથી નિતિશ કુમારને લાગવા લાગ્યું કે તેમના આગળ આવવાથી બિહારમાં મુસ્લિમોના વોટ તૂટી જશે. બિહારમાં 17 ટકા મુસલમાનોના વોટ છે. પોતાના મિત્ર અને દુશ્મન બંનેને સમજી વિચારીને પસંદ કરનાર નિતિશ કુમારનું ગણિત હતું કે જો નરેન્દ્ર મોદી છેડો છોડશે નહી તો બિહારના 17 ટકા મતદારો તેમનાથી મોંઢું ફેરવીને લાલૂ યાદવના પક્ષમાં જતા રહેશે.
નિતિશ કુમારે અનુભવ્યું કે નરેન્દ્ર મોદી અને મુસલમાનો બંને એકસાથે આવી ન શકે. જો કે નિતિશ કુમાર સમક્ષ પોતાની ધર્મનિરપેક્ષના વિજેતા જાહેર કરવા સિવાય બીજો કોઇ ઉપાય ન હતો અને તે માટે નરેન્દ્ર મોદી વિરોધ જરૂરી હતો, પરંતુ ધર્મનિરપેક્ષતા ત્યારે ક્યાં ગઇ હતી જ્યારે 2003માં ગુજરાતના રમખાણો બાદ ગુજરાતના કચ્છ જિલ્લાના આદીપુરમાં રેલવે મંત્રી તરીકે નિતિશ કુમારે નરેન્દ્ર મોદીના પેટ ભરીને વખાણ કર્યા હતા.
તે સમયે નિતિશ કુમારે કહ્યું હતું કે મને આશા છે કે નરેન્દ્ર ભાઇ બહુ દિવસ સુધી ગુજરાતના દાયરા સુધી સિમિત રહેશે નહી, અને દેશને તેમની સેવાનો લાભ મળશે. પોતાના તે નિવેદનના દસ વર્ષ બાદ નિતિશ કુમારે પોતાની આશા સાચી સાબિત થતી લાગવા લાગી, એટલે કે નરેન્દ્ર મોદી ગુજરાતના દાયરામાંથી બહાર નિકળીને દેશ તરફ આગળ વધવા લાગ્યા તો નરેન્દ્ર મોદીના નામ પર એનડીએથી છૂટા પડી ગયા. રાજ મતોનું રાજકારણ છે. નિતિશ જાણે છે કે તે વડાપ્રધાન પદની ઉમેદવારી કરી ન શકે, પરંતુ નરેન્દ્ર મોદીના કારણે તે પોતાના મુખ્યમંત્રીના પદને ગુમાવવા માંગતા નથી.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 85ની વર્ષની ઉંમરે માર્ગદર્શન આપવાના બદલે વડાપ્રધાન પદની લાલચથી મુક્ત થઇ રહ્યાં નથી. નરેન્દ્ર મોદીને ચૂંટણીની કમાન સોંપવામાં આવતાં અડવાણીનું સપનું રોળાતું નજરે પડ્યું. 2002માં ગુજરાતના રમખાણો બાદ ગોવામાં થયેલી રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં નરેન્દ્ર મોદી આરોપીની સામેલ થયા હતા. તેમના પર પદેથી રાજીનામું આપવાનું ભયંકર દબાણ હતું.
અટલ બિહારી વાજપાઇ ઇચ્છતા હતા કે નરેન્દ્ર મ્દોઈ રાજધર્મનું પાલન કરે અને પોતાના પદેથી રાજીનામું આપી દે. પરંતુ ત્યારે અડવાણીએ તેમને બચાવ્યા હતા. અગિયાર વર્ષ બાદ ગોવાથી જ નરેન્દ્ર મોદી વિજેતા તરીકે ઉભરી આવ્યા તો અડવાણી આ સહન ના થયું, અને તેમને પોતાના પદેથી રાજીનામું આપી દેવાનું પત્તું ફેક્યું. જો કે હવે તેમનું નાટક ખતમ થઇ ગયું છે, પરંતુ નરેન્દ્ર મોદીના નામ પર નિતિશ અને અડવાણીના નાટકે તેમનો અસલી ચહેરો સામે લાવીને મૂકી દિધો.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
