For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ આજે ખોલશે શીલા સરકારની પોલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીમાં શીલા દિક્ષિત સરકાર વિરૂદ્ધ મોટી ખુલાસો કરી શકે છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીની શીલા દિક્ષિત સરકાર પર વિજ કંપનીઓ સાથે મિલીભગત કરી ગોટાળા કર્યા હોવાના આરોપો લગાવી રહ્યાં છે. આજે કેજરીવાલે જાહેરાત કરી છે કે વિજ ગોટાળાના પૈસા કયા-કયા ખાતામાં ગયા છે.

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે થોડાં દિવસો પહેલાં ભોપાલમાં જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી એક ફેબ્રુઆરીથી દિલ્હી સરકાર વિરૂદ્ધ પોતાનું અભિયાન ચલાવશે. આમ આદમી પાર્ટીએ આ અભિયાન હેઠળ દિલ્હી સરકારના વિજળી અને પાણીના બીલ ગોટાળાનો પર્દાફાશ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની એક કોર્ટમાં મુખ્યમંત્રી શીલા દિક્ષિતના રાજકીય સચિવ પવન ખેડા દ્રારા દાખલ કરવામાં આવેલી એક આપરાધિક માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ સમન્સ રજૂ કરવામાં આવ્યું છે. વધારાની મુખ્ય મેટ્રોપોલિયન મેજિસ્ટ્રેત શૈલેન્દ્ર મલિકે એક ફરિયાદના આધારે અરવિંદ કેજરીવાલને 20 માર્ચના રોજ આરોપી તરીકે બોલાવ્યા હતા. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેજરીવાલ એક ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિરૂદ્ધ ખોટી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

English summary
Aam Aadmi Party has Sheila Dikshit in its crosshairs again, promising to expose on Friday how the Delhi government consistently "favoured" private power distribution companies at the expense of the public.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X