કેજરીવાલ આજે ખોલશે શીલા સરકારની પોલ

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે થોડાં દિવસો પહેલાં ભોપાલમાં જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી એક ફેબ્રુઆરીથી દિલ્હી સરકાર વિરૂદ્ધ પોતાનું અભિયાન ચલાવશે. આમ આદમી પાર્ટીએ આ અભિયાન હેઠળ દિલ્હી સરકારના વિજળી અને પાણીના બીલ ગોટાળાનો પર્દાફાશ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની એક કોર્ટમાં મુખ્યમંત્રી શીલા દિક્ષિતના રાજકીય સચિવ પવન ખેડા દ્રારા દાખલ કરવામાં આવેલી એક આપરાધિક માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ સમન્સ રજૂ કરવામાં આવ્યું છે. વધારાની મુખ્ય મેટ્રોપોલિયન મેજિસ્ટ્રેત શૈલેન્દ્ર મલિકે એક ફરિયાદના આધારે અરવિંદ કેજરીવાલને 20 માર્ચના રોજ આરોપી તરીકે બોલાવ્યા હતા. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેજરીવાલ એક ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિરૂદ્ધ ખોટી ભાષાનો ઉપયોગ કર્યો હતો.












Click it and Unblock the Notifications
