કસાબ બાદ અફઝલ ગુરૂને ફાંસી, જમ્મૂ-કાશ્મીરમાં કર્ફ્યું
કહેવમાં આવે છે કે શુક્રવારે રાત્રે માંડી સાંજે ગૃહ મંત્રાલયની બેઠકમાં અફઝલને ફાંસીએ લટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં રાષ્ટ્રપતિએ અફજલ ગુરૂની દયાની અરજી નકારી કાઢી હતી. અજમલ કસાબને ફાંસીએ લટકાવ્યા બાદ સરકાર પર સતત અફઝલ ગુરૂને ફાંસી આપવાનું દબાણ વધી રહ્યું હતું. સંસદ હુમલાના મુખ્ય આરોપી અફઝલ ગુરૂને ફાંસી આપ્યા બાદ મુંબઇ અને પુણેમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અફઝલ ગુરૂને પણ ફાંસી આપી હોવાની પુષ્ટી ભારત સરકારના સચિવ આર કે સિંહે કરી હતી. આર કે સિંહે લગભગ સવારે આડા આઠ વાગે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તિહાર જેલમાં અફજલને ફાંસી આપવામાં આવી હતી.
અફઝલ ગુરૂ ઉપરાંત હજુ પણ 5 વધુ આતંકવાદી છે જે ફાંસીની રાહ જોઇ રહ્યાં છે. જેમાં મનિંદરજીત સિંહ બિટ્ટાને ટારગેટ બનાવી બોમ્બ ધમાકો કરનાર દેવિંદર પાલ ભુલ્લર, પંજાબના સીએમ બેઅંત સિંહની હત્યા કરનાર બલવંત સિંહ રાજોઆના અને રાજીવ ગાંધીનો હત્યારો મુરૂગન, સંથાન અને પેરારિવલનનો સમાવેશ થાય છે.