રાહુલ ગાંધીએ મોદીને કહ્યા જવાનોના લોહીના દલાલ, ભાજપે કર્યો વળતો પ્રહાર
રાહુલ ગાંધીએ સર્જીકલ સ્ટ્રાઇક બાદ ભાજપના અમુક નેતાઓ તરફથી ઠેર-ઠેર સર્જીકલ સ્ટ્રાઇકના લગાવેલા પોસ્ટરનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતુ કે ભાજપ જવાનોના લોહીની દલાલી કરી રહ્યુ છે. આ નિવેદન બાદ તેમના પર વિરોધીઓએ નિશાનો સાધવાનું શરુ કરી દીધુ હતુ. આ નિવેદન માટે રાહુલ ગાંધીની ખૂબ જ નિંદા કરવામાં આવી.

ભાજપે કર્યો વિરોધ
ભારતીય જનતા પક્ષે રાહુલ ગાંધીના આ નિવેદન પર સખત વિરોધ નોંધાવ્યો. રાહુલની આ ટીપ્પણી પર ભાજપના મહાસચિવ શ્રીકાંત શર્માએ કહ્યું કે આ રાહુલ ગાંધીનુ માનસિક દેવાળિયાપણુ છે. શર્માએ જણાવ્યું કે આપના જે સૈનિકો શહીદ થયા છે, જે આતંકવાદનો શિકાર બન્યા છે આ નિવેદન તેમનુ અપમાન છે. શર્માએ જણાવ્યુ કે એક તરફ સર્જીકલ સ્ટ્ર્રાઇક બાદ ભારતીય સેના અને પીએમ મોદીની પ્રશંસા થઇ રહી છે તો બીજી તરફ રાહુલનુ નિવેદન તેમની હતાશાને પ્રદર્શિત કરે છે.
અરવિંદ કેજરીવાલે કરી રાહુલના નિવેદનની ટીકા
માત્ર ભાજપ જ નહિ પરંતુ આમ આદમી પાર્ટીએ પણ રાહુલ ગાંધીના નિવેદનની આકરી ટીકા કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જવાનોના લોહીની દલાલી વાળા નિવેદનની આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતા તેમણે જણાવ્યું કે ભારતીય સેનાના મામલે બધાએ એક સાથે રહેવાની જરુર છે. તેમણે જણાવ્યું હતુ કે રાહુલે જવાનો માટે દલાલી જેવા શબ્દનો ઉપયોગ નહોતો કરવો જોઇતો.
શું કહ્યું હતુ રાહુલ ગાંધીએ
દેવરિયાથી દિલ્હી સુધીની ખેડૂત યાત્રા દરમિયાન રાહુલની યાત્રા બુધવારે દિલ્હી પહોંચી. આ દરમિયાન રાહુલે પોતાના ભાષણમાં કહ્યું કે આપણા જવાનોએ દેશને બચાવવા પોતાનુ લોહી રેડ્યુ છે, સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. તેમના લોહી પાછળ મોદી છૂપાયેલા છે. આ દરમિયાન રાહુલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાનોના લોહીની દલાલી કરે છે.
આટલી ટીકા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે તેઓ સર્જીકલ સ્ટ્રાઇકનું સંપૂર્ણ સમર્થન કરે છે પરંતુ રાજકીય પોસ્ટરોમાં ભારતીય સેનાના ઉપયોગને તેમણે ખોટો ગણાવ્યો હતો.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
