તાલિબાન આતંકવાદી સંગઠન છે કે નહીં, મોદી સરકાર સ્પષ્ટ કરે-ઉમર અબ્દુલ્લા!
20 વર્ષના લશ્કરી મિશન પછી અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા હટી ગયા અને તાલિબાનોએ દેશ પર પોતાનું શાસન સંપૂર્ણપણે સ્થાપિત કર્યું.
20 વર્ષના લશ્કરી મિશન પછી અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા હટી ગયા અને તાલિબાનોએ દેશ પર પોતાનું શાસન સંપૂર્ણપણે સ્થાપિત કર્યું. જો કે અફઘાનિસ્તાનના કબજા સાથે તાલિબાને કહ્યું છે કે તે ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તાલિબાન સાથે દોહામાં મંત્રણાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેઓ તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહીં?

તાલિબાનના નેતાઓ અને કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલ વચ્ચે મંગળવારે દોહામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ વાતચીત પર મોદી સરકાર પર નિશાન સાધતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તાલિબાન આતંકવાદી સંગઠન છે કે નહીં, સરકારે અમને આ સ્પષ્ટપણે જણાવવું જોઈએ. તમે તાલિબાનને કેવી રીતે જુઓ છો? જો તાલિબાન આતંકવાદી સંગઠન છે, તો તમે તેમની સાથે શા માટે વાત કરી રહ્યા છો? અને, જો તાલિબાન આતંકવાદી સંગઠન નથી, તો શું તમે તેની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં જશો? તેના પર સ્પષ્ઠતા કરો.
તમને જણાવી દઈએ કે સોમવારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો સંપૂર્ણ રીતે પાછા ફર્યા બાદ તાલિબાન અને ભારત વચ્ચે મંગળવારે દોહામાં પ્રથમ મંત્રણા યોજાઈ હતી. તાલિબાન દ્વારા મંત્રણા શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે દોહામાં તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈને મળ્યા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન દીપક મિત્તલે તાલિબાન નેતાઓને કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ રીતે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કે આતંકવાદ માટે થવો જોઈએ નહીં.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો










Click it and Unblock the Notifications
