લાહોરમાં ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારીમાં પાકિસ્તાન
પાકિસ્તાન લાહોરના એક ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારી કરી રહ્યુ છે.
ટર્કીના રસ્તે ચાલીને પાકિસ્તાન લાહોરના એક ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારી કરી રહ્યુ છે. ભારતે પાકિસ્તાનના આ નિર્ણયની નિંદા કરીને પાકિસ્તાન હાઈ કમિશન પાસે આકરો વિરોધ નોંધાવ્યો છે. તમને જણાવી દઈએ કે પાકના નજીકના અને પીએમ ઈમરાન ખાનના મિત્ર ટર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્ડોગાને પણ ચર્ચ હાગિયા સોફિયાને એક મસ્જિદમાં બદલી દીધુ છે. એર્ડોગાનના આ પગલાં પર ગ્રીસે વિરોધ દર્શાવ્યો છે.

ભારતે કહ્યુ શીખો માટે પવિત્ર છે જગ્યા
ભારત તરફથી સોમવારે પાક હાઈ કમિશનમાં લાહોમાં ગુરુદ્વારા શહીદી અસ્થાન ભાઈ તારુ જીને મસ્જિદમાં ફેરવવાનો નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, 'આજે પાકિસ્તાન હાઈ કમિશનમાં એક આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના લાહોરની નૌલખા બજારમાં સ્થિત ગુરુદ્વારા શહીદી અસ્તાન ભાઈ તારુ જીને મસ્જિદ શહીદ ગંજ જણાવવામાં આવી રહ્યુ છે અને આને એક મસ્જિદમાં બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ જગ્યા ભાઈ તારુ જીની શહીદી જગ્યા છે અને ઐતિહાસિક છે.' અનુરાગ શ્રીવાસ્તવે આગળ કહ્યુ કે ગુરુદ્વારા શહીદી અસ્થાન ભાઈ તારુ જી એક ઐતિહાસિક સ્થાન છે કારણકે અહીં સન 1745માં ભાઈ તારુ જીએ સર્વોચ્ચ બલિદાન આપ્યુ હતુ. આ એ જ જગ્યા છે જે સીખો માટે ખૂબ પવિત્ર છે અને આ ઘટનાને ભારતમાં ચિંતાની દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે.
પીએમ ઈમરાનને એક્શની અપીલ
તેમણે કહ્યુ કે પાકિસ્તાન પાસે હંમેશાથી લઘુમતી સમાજની રક્ષા અને તેમના વિકાસની માંગ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હંમેશાથી સિખ સમાજ સાથે ખરાબ વ્યવહારના સમાચારો આવતા રહે છે. અકાલી દળના પ્રવકતા મનજિંદર સિંહ સિરસાએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ટ્વિટ કર્યુ અને માંગ કરી કે તે કટ્ટરપંથીઓ સામે એક્શન લે. તેમણે કહ્યુ કે પાકિસ્તાનના કટ્ટરપંથી આ શહીદી સ્થાનને સંપૂર્ણપણે ખતમ કરી દેવા ઈચ્છે છે. આ મૌલિક માનવાધિકારની વિરુદ્ધ છે અને એક વ્યક્તિને તેના ધર્મની આઝાદીથી રોકે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
