'વિદ્રોહીઓના હાથે લાગી શકે છે રાસાયણિક હથિયાર'
સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યા પ્રમાણે વિદેશ મંત્રાલયે શનિવારે સંયુક્ત રાષ્ટ્રમાં મોકલેલા પત્રમા કહ્યું છે કે, આ સંબંધમાં મીડિયામાંથી જે અહેવાલો મળી રહ્યાં છે, તેનાથી અમને ડર છે કે કેટલાક દેશ સીરિયામાં આતંકવાદીઓને સમર્થન કરી રહ્યાં છે. તે આતંકવાદીઓને રાસાયણિક હથિયાર આપી શકે છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા દેશો પાછળથ સીરિયાની સરકાર પર રાસાયણિક હથિયારોના ઉપયોગનો આરોપ લગાવી શકે છે. સીરિયાના વિદેશ મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે આતંકવાદી સંગઠન રાસાયણિક હથિયારોનો ઉપયોગ સીરિયાના નાગરીકો વિરુદ્ધ કરી શકે છે.
સીરિયાના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રને લખ્યું છે કે આ પત્ર એ સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા તથા પશ્ચિમી સહયોગી દેશોએ સીરિયાના રાસાયણિક શસ્ત્રાગારને લઇને ચિંતા વ્યક્ત કરતા આશંકા વ્યક્ત કરી છે કે સીરિયાની સરકાર તેનો ઉપયોગ વિદ્રોહીઓ વિરુદ્ધ કરી શકે છે. સીરિયાએ જો કે પોતાની પાસે રાસાયણિક હથિયાર હોવાનો ઇન્કાર કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમની પાસે હથિયાર હશે તો પણ તે તેનો ઉપયોગ પોતાના નાગરીકો વિરુદ્ધ નહીં કરે.