આજે સિરિઝની બીજી T-20 મેચ, કોહલીની કસોટી
T-20 સિરિઝમાં 1-0થી આગળ રહેલી ઇંગ્લેન્ડની ટીમ આજે કંઇક નવા જ આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઉતરશે, કારણ કે બહુ ઓછી ટીમોએ ભારતને ઘર આંગણે આટલી સરળતાથી પછાડી છે.
T-20 સિરિઝમાં 1-0થી આગળ રહેલી ઇંગ્લેન્ડની ટીમ આજે કંઇક નવા જ આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઉતરશે, કારણ કે બહુ ઓછી ટીમોએ ભારતને ઘર આંગણે આટલી સરળતાથી પછાડી છે.
ટાયમિલ મિલ્સ અને ક્રિસ જોર્ડનના આવવાથી ઇંગ્લેન્ડ ટીમનો સ્પેસ અટેક વધુ મજબૂત થયો છે. પહેલી મેચમાં હાર મળી હોવા છતાં ભારતીય ટીમ પણ વિરાટ કોહલીની આગેવાની હેઠળ અલગ જુસ્સા સાથે મેદાન પર જોવા મળશે.

સિરિઝની પ્રથમ મેચમાં ભારતીય બોલર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, તેને સુધારવાનો પ્રયત્ન થશે. ભારતીય ટીમ બેટિંગમાં અનુભવી અને સંતુલિત છે. વિરાટ કોહલી, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની જેવા બેટ્સમેન કોઇ પણ ટાર્ગેટ ચેઝ કે સેટ કરી શકવા સક્ષમ છે.
આથી ભારતીય ટીમમાં બહુ ફેરફાર થાવની શક્યતા નથી. મેચ નાગપુરમાં હોવાથી ભારતનો બોલિંગ એટેક સ્પિન આધારિત રહેશે. અમિત મિશ્રા, ચહલ, રસુલુ મહત્વનો ભાગ ભજવી શકે છે, કારણ કે, નાગપુરમાં સ્પિન વિકેટ છે. ભારતીય ટીમમાં આશિષ નેહરાને સ્થાને ભુવનેશ્વર કુમારને સ્થાન મળી શકે છે. કેપ્ટન વિરાટ કોહલી ઓપનિંગમાં જ પોતાની રમત બતાવે એવી પણ શક્યતા છે.
ઇંગ્લેન્ડની ટીમમાં પણ પરિવર્તનની શક્યતા નહિંવત્ છે. સેમ બિલિંગ્સ અને જેસન રોય જ મેચ ઓપનિંગ કરે એવી સંભાવના છે. જોર્ડન અને મિલ્સનું સ્થાન નિશ્ચિત જણાય છે, જ્યારે ક્રિસ વોક્સ અને જેક બોલને સ્થાન મળવાની શક્યતા ઓછી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ મેચ ખૂબ અગત્યની કહી શકાય, કારણ કે ધોનીને T-20 મેચમાં 5000 રન પૂરા કરવા માટે હવે માત્ર 10 રનની જરૂર છે.
તો બીજી બાજુ હાર્દિક પંડ્યા માટે પણ આ મેચ અગત્યની છે, કારણ કે તે છેલ્લી દસ મેચોમાં 10 રનનો આંકડો પાર કરી શક્યો નથી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
