4 ફેબ્રુઆરીએ સચિનને આપવામાં આવશે ભારત રત્ન
નવી દિલ્હી, 17 જાન્યુઆરી: એ તારીખની જાહેરાત થઇ ગઇ જ્યારે ભારતીય ક્રિકેટના સ્ટારને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. 4 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નવી દિલ્હીમાં સચિન તેંડુલકરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપશે.
3 ફેબ્રુઆરીના રોજ આ સમારોહની રિહર્સલ કરવામાં આવશે. સચિન તેંડુલકરની સાથે વૈજ્ઞાનિક સીએનઆર રાવને પણ ભારત રત્ન આપવામાં આવશે. 40 વર્ષના સચિન તેંડુલકરે ગત 16 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. આ સન્માન સ્વિકારનાર સચિન પ્રથમ ખેલાડી હશે.
મુંબઇના વાનખેદે સ્ટેડિયમમાં પોતાની 200મી ટેસ્ટ રમીને સચિન તેંડુલકરે સંન્યાસ લીધો હતો. તેના થોડા કલાકો બાદ રાષ્ટ્ર્પતિ ભવન દ્વારા સચિન તેંડુલકરને ભારત રંત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

જો કે સચિન તેંડુલકરને ભારત રત્નના એલાન બાદ વિવાદ શરૂ થઇ ગયો હતો. રાજકારણ અને સમાજના કેટલાક ભાગોમાં મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગણી કરવામાં આવી હતી.
સચિન તેંડુલકર ગત વર્ષે રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ચાર વર્ષના અંતરાળ બાદ ભારત રત્નનું એલાન કરવામાં આવ્યું. આ પહેલાં 2009માં દિગ્ગજ સંગીતકાર ભીમસેન જોશીને આ સન્માન આપવામાં આવ્યું હતું.
-
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ












Click it and Unblock the Notifications
