રણજી ટ્રોફીમાં સચિન તેંડુલકર ઓપનિંગ કરશે

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર મુંબઇ રણજી ટીમના કેપ્ટન હશે. રોહિત શર્મા અને આજિંક્ય રહાણેનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બરથી ભારત અને ઇગ્લેંડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. જેથી સચિન અને ટીમના ઘણા ખેલાડી સારું પ્રદર્શન કરવા માંગે છે. ખરાબ ફોર્મના કારણે સચિનની ટીકા કરવામાં આવી રહી છે.
મુંબઇ ટીમ: અજિત અગરકર (કેપ્ટન), સચિન તેંડુલકર, ઝહીર ખાન, રમેશ પવાર, રોહિત શર્મા, આજિંક્ય રહાણે, અભિષેક નાયર, કૌસ્તુભ પવાર, ધવલ કુલકર્ણી, અંકિત ચૌહાણ, ઇકબાલ અબ્દુલા, આદિત્ય તારે, અખિલ હેરવાડકર












Click it and Unblock the Notifications
