ફિલ્ડિંગ દરમિયાન સેહવાગ ઇજાગ્રસ્ત

દિલ્હીના સુકાની સેહવાગે કેચ છોડી દીધો અને બોલ બાઉન્ડ્રી બહાર જતી રહી હતી. આ દરમિયાન સેહવાગના જમણા હાથની આંગળીમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ સેહવાગ ફિલ્ડિંગ કરવા માટે મેદાન પર આવ્યો નહોતો અને મેચ પછી તે આંગળીમાં પટ્ટી બાંધેલી અવસ્થામાં જોવા મળ્યો હતો.
દિલ્હીના કોચ સંજીવ શર્માએ મેચ પછી કહ્યું કે સેહવાગ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા માટે ફિટ છે. તેમણે કહ્યું છે કે આંગળીમાં ઇજા પહોચી હતી જેતી સારવાર કરવી જરૂરી હતી. તેમાં કોઇ સ્ટિચ લાગી નથી અને તે બીજી ઇનિંગમાં બેટિંગકરવા માટે ફિટ છે.












Click it and Unblock the Notifications
