Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુવી-ભજ્જીને બલીનો બકરો બનાવાયાઃ ગાવસ્કર

sunilgavaskar
કોલકતા, 10 ડિસેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરે હરભજન સિંહ અને યુવરાજ સિંહને બલીનો બકરો બનાવવામાં આવતા પસંદગીકારોની ટીકા કરી છે. યુવરાજ અને હરભજન સિંહને નાગપુર ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ઇંગ્લેન્ડ ભારતને કોલકતા ટેસ્ટમાં સાત વિકેટથી પરાજય આપી શ્રેણીમાં 2-1થી આગળ છે.

ગાવસ્કરે એક ટીવી ચેનલને આપેલા કાર્યક્રમમાં કહ્યું છે કે જો તમે મને પૂછશો તો ઝહીરના પડતો મુકવો યોગ્ય હતો, પરંતુ મારા મતે યુવરાજ અને હરભજનને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે.

ગાવસ્કરે કહ્યું કે જો તમે મુંબઇ ટેસ્ટમાં હરભજનના પ્રદર્શનને જોશો તો તેણે માત્ર 20 કે 21 ઓવર બોલિંગ કરી અને બે વિકેટ લીધી હતી. ભારત મુંબઇમાં હારી ગયુ તો તેની પાછળ સામુહિક નિષ્ફળતા જવાબદાર હતી. યુવરાજે 30 કરતા વધારે રના બનાવ્યા. તમે જો આ ખેલાડીઓને હટાવવા માંગો છો તો પછી એ લોકોને કેમ નથી હટાવતા કે જે સારું પ્રદર્શન નથી કરી રહ્યાં. યુવરાજ અને હરભજન બલીનો બકરો બન્યા છે.

ગાવસ્કરે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વનો બચાવ કરતા કહ્યું કે તેમને હટાવવાનો નિર્ણય ઉતાવળમાં ના કરવો જોઇએ. પૂર્વ મહાન ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે સુકાની એટલો જ સારો હોય છે જેટલી તેની ટીમ. મારા મતે હાલ આપણી પાસે ધોનીનો કોઇ વિકલ્પ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X