For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવી-ભજ્જીને બલીનો બકરો બનાવાયાઃ ગાવસ્કર

|
Google Oneindia Gujarati News

sunilgavaskar
કોલકતા, 10 ડિસેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરે હરભજન સિંહ અને યુવરાજ સિંહને બલીનો બકરો બનાવવામાં આવતા પસંદગીકારોની ટીકા કરી છે. યુવરાજ અને હરભજન સિંહને નાગપુર ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ઇંગ્લેન્ડ ભારતને કોલકતા ટેસ્ટમાં સાત વિકેટથી પરાજય આપી શ્રેણીમાં 2-1થી આગળ છે.

ગાવસ્કરે એક ટીવી ચેનલને આપેલા કાર્યક્રમમાં કહ્યું છે કે જો તમે મને પૂછશો તો ઝહીરના પડતો મુકવો યોગ્ય હતો, પરંતુ મારા મતે યુવરાજ અને હરભજનને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે.

ગાવસ્કરે કહ્યું કે જો તમે મુંબઇ ટેસ્ટમાં હરભજનના પ્રદર્શનને જોશો તો તેણે માત્ર 20 કે 21 ઓવર બોલિંગ કરી અને બે વિકેટ લીધી હતી. ભારત મુંબઇમાં હારી ગયુ તો તેની પાછળ સામુહિક નિષ્ફળતા જવાબદાર હતી. યુવરાજે 30 કરતા વધારે રના બનાવ્યા. તમે જો આ ખેલાડીઓને હટાવવા માંગો છો તો પછી એ લોકોને કેમ નથી હટાવતા કે જે સારું પ્રદર્શન નથી કરી રહ્યાં. યુવરાજ અને હરભજન બલીનો બકરો બન્યા છે.

ગાવસ્કરે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વનો બચાવ કરતા કહ્યું કે તેમને હટાવવાનો નિર્ણય ઉતાવળમાં ના કરવો જોઇએ. પૂર્વ મહાન ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે સુકાની એટલો જ સારો હોય છે જેટલી તેની ટીમ. મારા મતે હાલ આપણી પાસે ધોનીનો કોઇ વિકલ્પ નથી.

English summary
Gavaskar said that while he expected Zaheer Khan to be dropped, Yuvraj and Harbhajan were soft targets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X