ભારતના ટોપ 6 દિવાળી ડેસ્ટિનેશન, અહીં એન્જોય કરો આપના તહેવારો
ભારતમાં દિવાળી પર્વનું આગવું મહત્વ છે. આ પ્રકાશનો પર્વ દેશ ઉપરાંત દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. દિવાળી ભારતનો એ તહેવાર છે જે પોતાની વિવિધતા અને વિશેષતાના પગલે સાંસ્કૃતિક દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાઇટ અને સાઉંડનો આ તહેવાર વિશ્વના એ પસંદગીના તહેવારોમાંનો એક છે જેમાં તમામ જાતિ, ધર્મ અને સમુદાયના લોકો હળીમળીને તહેવાર મનાવે છે.
આપને જણાવી દઇએ કે ભારતમાં દિવાળીને 'નરસાઇ પર સારાઇની જીત' તરીકે જોવામાં આવે છે. સાથે જ આ દરમિયાન ભારતમાં નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આપને જણાવી દઇએ કે પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારને પાંચ ભાગો ધનતેરસ, રૂપ ચૌદસ, દિવાળી, નવુ વર્ષ, અને ભાઇબીજમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે ભારતના બિહાર રાજ્યમાં આ પર્વ 6 દિવસો સુધી ચાલે છે જેને છઠ પૂજાના નામથી પણ ઓળખવામાં આવે છે.

દિલ્હી
ભારતની યાત્રા એક અનોખો અનુભવ છે, અને તેની રાજધાની દિલ્હીની મુલાકાત કોઇ પણ વ્યક્તિ માટે અમિટ સંસ્મરણ સાબિત થશે. ભારતના સૌથી મોટા શહેરોમાંથી એક દિલ્હી, પ્રાચીનતા અને આધુનિકતાનો યોગ્ય સંયોજન છે. ફરવાની દ્રષ્ટિએ આ શહેરની યાત્રા બેસ્ટ છે. દિવાળીના સમયે આપ દિલ્હીનો પ્રવાસ ચોક્કસ કરો. આ સમયે આ શહેરમાં એવું ઘણું બધું થાય છે જે દરેક પ્રવાસીને ખુશ ખુશ કરી દે છે.

વારાણસીને બનારસ અને કાશી જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર દુનિયામાં સૌથી પ્રાચીન અને નિરંતર આગળ વધનારું શહેર છે. આ શહેરને ભગવાન શિવની નગરી કહેવામાં આવે છે. આપને બતાવી દઇએ કે ભગવાન શિવ, હિન્દુઓના પ્રમુખ દેવતા છે જેમને સર્જક અને વિનાશના પ્રતિક માનવામાં આવે છે.

જયપુર, રાજસ્થાન
ભારતના સૌથી જૂના શહેરથી અને હાલમાં પિંક સિટી તરીકે જાણીતા જયપુર વર્તમાનમાં રાજસ્થાન રાજ્યની રાજધાની છે. આ શહેરની ગણતરી ભારતના એ શહેરોમાં છે જેને વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શહેરનું નિર્માણ અમ્બેરના રાજા મહારાજા સવાઇ જય સિંહ દ્વિત્તિય દ્વારા બંગાળના એક વાસ્તુકાર વિદ્યાધર ભટ્ટાચાર્યની મદદથી કરવામાં આવ્યું હતું. આ સ્થળે હિન્દુ વાસ્તુકલાનું એક શાનદાર ઉદાહરણ છે, જે પિથાપડા રૂપ એટલે આઠ ભાગોના મંડળમાં બનેલ છે.

કોલકાતા, પશ્ચિમ બંગાળ
પોતાની વિવિધતા, વિશેષતા, સાહિત્ય અને સંગીત ઉપરાંત તહેવારોના મામલામાં પણ કોલકાતા હંમેશા ખાસ રહ્યું છે. કોલકાતા જેને પહેલા કલકત્તાના નામથી ઓળખવામાં આવતું હતું અંગ્રેજોના જમાનાથી અમારા દેશનું સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે. કોલકાતાના લોકોને ઘણા દાયકાઓથી સાહિત્ય અને કાળા પ્રદર્શન માટે વખાણવામાં આવે છે. દુર્ગા પૂજા, દિવાળી અને દશેરાના થોડા દિવસો પહેલા મનાવવામાં આવતી કાળી પૂજા જેવા તહેવારોને મનાવવાની રીતો અને તેના દ્વારા પોતાના ઘરોને સજાવવાની રીતોથી તેમના કળાપ્રેમના સ્પષ્ટ પુરાવા મળે છે.

અમૃતસર, પંજાબ
પંજાબમાં સ્થિત અમૃતસર શીખ સમુદાયનું આદ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉત્તર પશ્ચિમ-ભારતના સૌથી મોટા શહેરોમાંથી એક છે. આ શહેરની સ્થાપના 16મી સદીમાં ચોથા શીખ ગુરુ, ગુરુ રામદાસજીએ કર્યું હતું અને તેનું નામ અત્રેના એક પવિત્ર તળાવ અમૃતસર તળાવ પરથી પડ્યું છે. 1601માં ગુરુ રામદાસના ઉત્તરાધિકારી ગુરુ અર્જુન દેવજીએ અમૃતસરનો વિકાસ કર્યો. તેમણે અત્રે એક ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂરુ કર્યું, જેને બનાવવાની શરૂઆત ગુરુ રામદાસજીએ કરી હતી.

શિવકાશી, તમિલનાડુ
શિવકાશી ભારતનું એક એવું શહેર છે જે પોતાના ફટાકડાઓ તથા માચિસના ઉદ્યોગો માટે પ્રસિદ્ધ છે. આ તમિલનાડુની વિરુધુનગર જિલ્લામાં સ્થિત છે. અત્રે સ્થિત કેટલાંક મહત્વપૂર્ણ મંદિર અને વિભિન્ન મૌસમોમાં મનાવવામાં આવતા કેટલાંક રંગીન સ્થાનીય તહેવારોના કારણે આ સ્થાન વિકસતા પ્રવાસન સ્થળોમાંથી એક બની ગયું છે. જોકે ભારતમાં 90 ટકા ફટાકડાઓનું નિર્માણ અત્રે જ થાય છે. માટે આપને દિવળી દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળશે.

-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
