આ રહ્યા ભારતના સૌથી ધનાઢ્ય મંદિરો, જે તાતા, બિરલાને પણ આપે છે માત
ભારત દેશ ઘણા પ્રકારે અનોખો છે. અત્રે એવું ઘણું બધું છે જે એક પ્રવાસીને ઘણું બધું આપે છે જે અંગે તેણે ભાગ્યે જ કંઇ વિચાર્યું હશે. આપ ભારતમાં યાત્રા ક્યાંય પણ કરો પરંતુ આપને દરેક સ્થળે કોઇને કોઇ મંદિર ચોક્કસ મળી જશે. અત્રે નોંધનીય છે કે ભારતના મંદિર જ્યાં એક તરફ વાસ્તુશિલ્પ અને મૂર્તિઓના મામલામાં બેજોડ છે તો ખૂબ જ ધનવાન પણ છે. આમાંથી કેટલાંક મંદિરો તો એવા છે કે જો ભારતના તમામ ધની વ્યક્તિઓને એક સાથે ભેળવી દેવામાં આવે તો પણ મંદિરની સંપત્તિ વધારે નીકળશે.
કૂલ મળીને એવું કહેવામાં કોઇ અતિશ્યોક્તિ નહીં હોય કે આ મંદિરોમાં આવ્યા બાદ મોટા મોટા બિઝનેસમેન, કરોડપતીઓ પણ ઠીંગળા સાબિત થઇ જાય છે. આ જ ક્રમમાં અમે આજે આપને અવગત કરાવીશું ભારતના કેટલાંક ધનાઢ્ય મંદિરોથી જેની સંદરતા અને વાસ્તુકલા આપને મંત્રમુગ્ધ કરી દેશે. તો આવો આજે આ લેખ દ્વારા આ મંદિરો વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ.

શ્રી પદ્મનાભસ્વામી મંદિર
તિરુઅનંતપુરમ કેરળનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી ધનાઢ્ય મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુના 108 પવિત્ર સ્થળોમાંથી એક છે. અત્રે ભગવાન વિષ્ણુની સુંદર પ્રતિમા અનંત એટલે કે સર્પ પર બિરાજમાન છે.

વેંકટેશ્વર મંદિર, તિરુપતિ
તિરુમાલા હિલ્સના શિખર વેંકટેશ્વર મંદિરમાં દરેક દિવસ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. પ્રતિ વર્ષ આયોજિત થનારા બ્રાહ્મોત્સવ અને વૈંકુટા એકાદશી દરમિયાન લાખોની સંખ્યામાં લોકો આવે છે. લોકો અત્રે પોતાના પસંદગીના ભગવાનને પૈસા અને સોનું સમર્પિત કરે છે.

વૈષ્ણૌ દેવી મંદિર, જમ્મુ અને કાશ્મીર
વૈષ્ણૌ દેવી મંદિર જમ્મુ અને કાશ્મીરમાં ત્રિકુટા પહાડી પર સ્થિત છે, આ મંદિર પ્રકૃતિની ખોળામાં વસેલું છે અને આપ પ્રકૃતિને નજીકથી અનુભવ કરી શકો છો.

સોમનાથ મંદિર, સૌરાષ્ટ્ર
સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. આ મંદિર ગુજરાતના પશ્ચિમી છેડા પર આવેલું છે. ગુજરાતના પ્રવાસી વિભાગના આ મંદિરનું ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું છે જેથી અહીં પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ઊમટી પડે છે.

જગન્નાથ મંદિર, પુરી
ઓડીશાના પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં વાર્ષિક રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જગન્નાથનો અર્થ થાય છે બ્રહ્માંડના ભગવાન. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ પંથને માનનારાઓ મોટી સંખ્યામાં દાન કરે છે.

કાશી વિશ્વનાથ મંદીર, વારાણસી
ભગવાન શિવને સમર્પિત કાશી વિશ્વનાથ મંદિર હિંદુઓનું એક પ્રમુખ તીર્થ સ્થળ છે. એવી માન્યતા છે કે અત્રે ગંગામાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઇ જાય છે. આ સ્થળની સુંદરતા જોતા જ બને છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ












Click it and Unblock the Notifications
