અલ્લાહની બંદગી અને ઈબાદતનો પવિત્ર માસ એટલે 'રમજાન'
જાણો પવિત્ર માસ 'રમજાન' વિશે કેટલીક ખાસ વાતો..
જેમ હિંદુ ધર્મમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ તેમ મુસ્લિમ સમાજમાં રમજાન માસ પવિત્ર માસ મનાય છે. પવિત્ર મહિનો રમજાનની શરૂઆત થઈ ચૂકી છે, ઈસ્લામિક કેલેન્ડરનો આ મહિનો ત્યાગ, સેવા, સમર્પણ અને ભક્તિનું પ્રતિક છે. આખો એક મહિનો મુસ્લિમ સમુદાય 'રોજા' રાખે છે. આ માસ દરમિયાન રોજા રાખનારા સવારથી સાંજ ખાધા-પીધા વિના રોજા કરે છે. અને વધુમાં વધુ કુરાન શરીફનું વાંચન, જકાત, ખેરાત, સદકાની બંદગી કરે છે.

જન્નત નસીબ થાય છે
- ઈસ્લામિક માન્યતા અનુસાર રમજાન મહિનામાં જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે અને જેઓ રોજા રાખે છે તેને જ જન્નત નસીબ થાય છે.
- પયગંબર ઈસ્લામ પ્રમાણે રમજાન મહિનો પહેલો અશરા(દશ દિવસ) રહમત નો, બીજો અશરો મગફિરત અને ત્રીજો અશરો દોજખથી આઝાદી અપાવવાનો છે.
- આ મહિને પ્રેમ અને પોતાના પર સંયમ રાખવાનું મનાય છે. પરિણામે કહેવાય છે કે આ માટે દરેક મુસલમાને રોજા રાખવા જોઈએ.
- માસિક-ધર્મ દરમિયાન ઈસ્લામિક સ્ત્રીઓને રોજા ન રાખવાનું કહેવામાં આવે છે.
- આ સમય દરમિયાન માત્ર અલ્લાહની ઈબાદત કરવી જોઈએ અને સહરી અને ઈફ્તારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- આ દરમિયાન દારૂ, સિગરેટ, તંબાકુ અને નશીલી ચીજોનું સેવન કરવું જોઈએ નહિં.
- વૃધ્ધ, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, નવજાત શીશુની માતા અને મુસાફરી કરનારા યાત્રીઓએ રોજા રાખવાની મનાઈ છે.

સંયમ રાખવુ

અલ્લાહની ઈબાદત

દરેક મુસ્લિમે જકાત આપવાની હોય છે
રમજાન દરમિયાન દરેક મુસ્લિમે જકાત આપવાની હોય છે. જકાત એટલે અલ્લાહની રાહમાં પોતાની આવકનો કેટલોક ભાગ કાઢી ગરીબો અને જરૂરિયાત વાળા લોકોને દાન કરવું. કહેવાય છે કે જકાત રમજાન દરમિયાન જ આપવી જોઈએ પરિણામે ગરીબો સુધી તે પહોંચે અને તેઓ પણ ઈદ મનાવી શકે.

રોજાનો અર્થ
રોજાનો અર્થ બંદિશ(મનાઈ), માત્ર ખાવા-પીવા પર બંદિશ નહિં પણ દરેક બુરાઈથી દૂર રહેવાની બંદિશ છે, જે ઈસ્લામ પ્રમાણે અયોગ્ય મનાઈ છે. ઈસ્લામ પ્રમાણે રોજા માત્ર ભુખ્યા તરસ્યા રહેવાનું નામ નથી પણ પોતાનો શુધ્ધ અને વ્યવસ્થિત કરવાનું નામ છે. અને દર વર્ષે 30 દિવસ પોતાની આત્માની શુધ્ધિ કરવા બાકીના 11 મહિના આ જીવન જીવવાની તાલિમ મેળવવામાં આવે છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
