For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકોના રિકેપિટલાઇઝેશન માટે રૂપિયા 12,517 કરોડનો પ્લાન મંજૂર

|
Google Oneindia Gujarati News

banks
નવી દિલ્હી, 11 જાન્યુઆરી : કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની 10 બેંકોમાં 12,517 કરોડ રૂપિયાની શેર મૂડી રોકવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ મૂડીથી બેંકોને મૂડીની પર્યાપ્તતાના નિયમોને પૂરા કરવામાં મદદ મળશે. આ સાથે જ બેંકે પહેલા કરતા વધારે ધિરાણ આપી શકશે.

સરકારે વર્ષ 2018-19 સુધીમાં બેંકોને તેમની જરૂરિયાતોને આધારે મૂડી ઉપલબ્ધ કરાવવાને મંજૂરી આપી દેવામાં આવી છે. બેંકોને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય બેસિલના ત્રણ નિયમોને અનુરૂપ મૂડીની ઉપલબ્ધતા અને એનપીએ જેવા માપદંડો પર પાર ઉતરવાનું છે.

મંત્રીમંડળની બેઠક બાદ નાણા મંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું કે નાણાપ્રધાન દ્વારા 16 માર્ચ, 2012ના રોજ કરવામાં આવેલી જાહેરાત બાદ અમે જાહેર ક્ષેત્રમાં મૂડી રોકાણ કરી રહ્યા છીએ. વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા અમે બેંકોમાં રૂપિયા 12,517 કરોડ રૂપિયા નાખીશું.

ચિદમ્બરમે જણાવ્યું કે અમારું માનવું છે કે 9થી 10 બેંકોને આ મૂડી મળશે. બેંકોના નામ, પ્રત્યેક બેંકને મળનારી મૂડી અને તે માટેના નિર્ધારિત નિયમ અને શરતો અંગે મૂડી નાખવા અંગે બેંકો સાથે ચર્ચા - વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

English summary
12,517 crore approved for bank recapitalisation plan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X