For Quick Alerts
For Daily Alerts
બેંકોના રિકેપિટલાઇઝેશન માટે રૂપિયા 12,517 કરોડનો પ્લાન મંજૂર
સરકારે વર્ષ 2018-19 સુધીમાં બેંકોને તેમની જરૂરિયાતોને આધારે મૂડી ઉપલબ્ધ કરાવવાને મંજૂરી આપી દેવામાં આવી છે. બેંકોને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય બેસિલના ત્રણ નિયમોને અનુરૂપ મૂડીની ઉપલબ્ધતા અને એનપીએ જેવા માપદંડો પર પાર ઉતરવાનું છે.
મંત્રીમંડળની બેઠક બાદ નાણા મંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું કે નાણાપ્રધાન દ્વારા 16 માર્ચ, 2012ના રોજ કરવામાં આવેલી જાહેરાત બાદ અમે જાહેર ક્ષેત્રમાં મૂડી રોકાણ કરી રહ્યા છીએ. વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા અમે બેંકોમાં રૂપિયા 12,517 કરોડ રૂપિયા નાખીશું.
ચિદમ્બરમે જણાવ્યું કે અમારું માનવું છે કે 9થી 10 બેંકોને આ મૂડી મળશે. બેંકોના નામ, પ્રત્યેક બેંકને મળનારી મૂડી અને તે માટેના નિર્ધારિત નિયમ અને શરતો અંગે મૂડી નાખવા અંગે બેંકો સાથે ચર્ચા - વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
Comments
English summary
12,517 crore approved for bank recapitalisation plan.
Story first published: Friday, January 11, 2013, 17:00 [IST]