મોદી સરકાર 2.0ના પહેલા બજેટમાં શું રહ્યુ ખાસ, જાણો 10 મોટી વાતો
આવો જાણીએ, મોદી સરકારના બીજી કાર્યકાળના પહેલા સામાન્ય બજેટ સાથે જોડાયેલી ખાસ વાતો...
મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સામાન્ય બજેટ રજૂ કર્યુ. પહેલી વાર નાણામંત્રી બ્રીફકેસની જગ્યાએ લાલ રંગના મખમલના પેકેટમાં દસ્તાવેજ લઈને સંસદ પહોંચ્યા હતા જેના પર અશોક ચિહ્ન લગાવ્યુ હતુ. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ મોદીની આગેવાનીમાં સરકાર ઝડપથી કામ કરી રહી છે અને અંતિમ છેડે ઉભેલા વ્યક્તિની મદદ કરી રહી છે. આવો જાણીએ, મોદી સરકારના બીજી કાર્યકાળના પહેલા સામાન્ય બજેટ સાથે જોડાયેલી ખાસ વાતો...

નિર્મલા સીતારમણનું પહેલુ બજેટ
1. ગામ-ગરીબ ખેડૂત કોર એજન્ડા મહાત્મા ગાંધી દ્વારા કહેલી વાતથી શરૂઆત કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે અસલી ભારત ગામમાં વસે છે અને ગામ અને ખેડૂત તેમની દરેક યોજનાનું કેન્દ્ર બિંદુ હશે. તેમણે કહ્યુ કે આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી ખેડૂતની આવક બમણી કરવાની કોશિશ કરવામાં આવશે. મોદી સરકાર કૃષિ અવસંરચનામાં રોકાણ વન. નાણામંત્રીએ કહ્યુ કે પીએમ આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 2019-20થી 2021-22 સુધી પાત્રતા રાખનારા લાભાર્થીઓને 1.95 કરોડ મકાન આપવામાં આવશે. આનાં રસોઈ ગેસ, વિજળી અને શૌચાલયો જેવી સુવિધા હાજર રહેશે.

પાણી વિજળી પહોંચાડવા પર જોર
2. 2024 સુધી બધાને પાણી, 2022 સુધી બધાને વિજળી
નિર્મલા સીતારમણે ‘વન નેશન, વન ગ્રિડ' યોજનાનું એલાન કર્યુ. જેનો ઉદ્દેશ્ય દેશના દરેક ઘરને 24 કલાક સમાન દરે વિજળી ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત સરકર દરેક ઘરને પાણી અને ગેસ પૂરો પાડશે. તેમણે કહ્યુ કે અમારુ લક્ષ્ય વર્ષ 2022 સુધી દરેક ગામમાં વિજળી પહોંચાડવાનો છે. નાણામંત્રીએ કહ્યુ કે નવી ઈન્ટીગ્રેટેડ વૉટર મિનિસ્ટ્રી 2024 સુધી ‘દરેક ઘરે જળ' સુનિશ્ચિત કરશે. નાણામંત્રીએ કહ્યુ, અમારી સરકારે પાણી માટે જળશક્તિ મંત્રાલયની રચના કરી છે. જળ આપૂર્તિના લક્ષ્યને લાગુ કરવામાં આવી રહ્યો છે, 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી ચે.
3. પાંચ લાખની આવક માટે કોઈ ટેક્સ નહિ. નાણામંત્રી સીતારમણે વચગાળાનું બજેટને રીપિટ કરીને કહ્યુ કે વાર્ષિક 5 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવનાર પાસેથી સરકાર તરફથી કોઈ ટેક્સ લેવામાં નહિ આવે. વળી, ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવામા આવ્યો નથી. નાણામંત્રીએ કહ્યુ કે કરદાતાઓના પૈસાથી જ દેશનો વિકાસ થયો છે. ડાયરેક્ટ ટેક્સમાં વધારો થયો છે. પાંચ વર્ષમાં 78 ટકા પ્રત્યક્ષ ટેક્સ વધ્યો છે.

અમીરો પર વધ્યો ટેક્સ
4.5 કરોડની આવકવાળાને સરચાર્જ તરીકે 3 થી 7 ટકા વધુ ટેક્સ આપવો પડશે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ અમીરો પર ટેક્સ વધારવાનું એલાન કર્યુ. નાણામંત્રીએ કહ્યુ, ‘બેથી પાંચ કરોડ રૂપિયા સુધીની આવકવાળા લોકો પર 3 ટકા સરચાર્જ ટેક્સ લાગશે. વળી, 5 કરોડથી વધુ આવકવાળાઓને 7 ટકા સરચાર્જ તરીકે વધુ ટેકસ આપવાનો રહેશે.'
4. ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મળશે 1.5 લાખ રૂપિયાની છૂટ. બજેટમાં ઈલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે. આ હેઠળ આ ગાડીઓ પર જીએસટીને 12 ટકા ઘટાડીને 5 ટકા કરવા અને ઈલેક્ટ્રીક વ્હીકલ માટે લોન પર 1.5 લાખ સુધીની લોનને ટેક્સ મુક્ત કરવાની ઘોષણાઓ શામેલ છે આમાં ભારતમાં ઈલેક્ટ્રીક ગાડીઓની મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન મળશે.

હોમ લોનના વ્યાજમાં ટેક્સ છૂટનું એલાન
6. 45 લાખની કિંમતના હોમ લોન માટે હવે 2થી વધારીને 3.5 લાખ સુધીની છૂટ નાણામંત્રીએ મિડલ ક્લાસને મોટી રાહત આપીને 45 લાખ સુધીનુ ઘર ખરીદવા પર દોઢ લાખ સુધીને વધુ છૂટ આપવામાં આવી. મોદી સરકારે બજેટમાં એલાન કર્યુ જે હેઠળ મિડલ ક્લાસના 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદમાં પર 1.5 લાખ રૂપિયાની વધુ છૂટનું એલાન કર્યુ છે. પહેલા હાઉસિંગ લોનમાં વ્યાજમાં આ છૂટ2 લાખ રૂપિયા સુધી હતી જે વધારીને હવે 3.5 લાખ રૂપિયા થઈ ગઈ છે.
7. આઈટી રિટર્ન ભરવા માટે PANની અનિવાર્યતા ખતમ નાણામંત્રીએ આઈટી રિટર્ન ભરવા સંબંધી મોટુ એલાન કર્યુ. તેમણે કહ્યુ કે હવે આધારકાર્ડથી પણ ઈન્ક્મ ટેક્સ ભરી શકો છો. પેન કાર્ડની માહિતી આપવી જરૂરી નહિ હોય. અત્યાર સુધી નાગરિકોને કોઈ પણ આવક સંબંધી કે નાણા સંબંધી કામકાજ કરા માટે પેન કાર્ડ નંબરની જરૂર પડતી હતી પરંતુ હવે આવુ નહિ થાય. હવે પેન કાર્ડનું કામ આધાર નંબરથી પણ થઈ જશે.
8. 400 કરોડના ટર્નઓવર પર 25 ટકા કોર્પોરેટ ટેક્સ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે હવે 400 કરોડ રૂપિયા સુધીનો વાર્ષિક વેપાર કરતી કંપનીઓ 25 ટકા કોર્પેરેટના ટેક્સ સ્લેબની સીમામાં આવશે. આ પહેલા 25 ટકા કૉર્પોરેટ ટેક્સની સીમામા 250 કરોડ રૂપિયા સુધીનો વેપાર કરતી કંપનીઓ શામેલ હતી. હવે માત્ર 0.7 ટકા કંપનીઓ કૉર્પોરેટ ટેક્સ સ્લેબમાંથી બહાર રહેશે.

ડીઝલ પેટ્રોલ પર સેસ વધી
9. ડીઝલ-પેટ્રોલ પર પ્રતિ લીટર એક એક રૂપિયાની સેસ. નાણામંત્રીએ કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયાની વધુ સેસ લાગશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી અને રોડ તેમજ ઈન્ફ્રાક્ટ્રચર સેસના નામ પર પેટ્રોલ-ડીઝલ પર 1 રૂપિયા પ્રતિ લીટર વસૂલવાનો પ્રસ્તાવ રાખ્યો. ડીઝલા ભાવમાં વધારાથી દરેક વસ્તુઓની કિંમત વધી જશે જેની માર સામાન્ય જનતા પર જ પડવાની છે.
10. નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન. નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડ (એનટીસી) જાહેર કરવાનુ એલાન કર્યુ. આ કાર્ડનો ઉપયોગ સમગ્ર ભારતમાં યાત્રા દરમિયાન કરી શકાશે. આનો ઉપયોગ બસ, રેલ અને પાર્કિંગના ભાડાની ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. વળી, આ બજેટમાં સંરક્ષણ અને આરોગ્ય માટે કોઈ ઘોષણા કરવામાં આવી નથી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
