આ SMS ખોલતા જ તમારા ખાતામાંથી ઉડી જશે પૈસા, CBIએ જારી કર્યુ એલર્ટ
સરકાર લોકોને સતત એસએમએસ દ્વારા કોરોનાની માહિતી આપી રહી છે. આ દરમિયાન હેકર્સ પણ ઘણા સક્રિય છે.
કોરોના વાયરસના કારણે લોકો અત્યારે ઘરોમાં કેદ છે. સરકાર લોકોને સતત એસએમએસ દ્વારા કોરોનાની માહિતી આપી રહી છે. આ દરમિયાન હેકર્સ પણ ઘણા સક્રિય છે. જે કોરોનાની આડમાં લોકોને હેકિંગ સોફ્ટવેરની લિંક મોકલીને તેમનો ડેટા ચોરી કરી રહ્યા છે. હવે સીબીઆઈએ ઈન્ટરપોલની સૂચના પર બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ હેકિંગ સૉફ્ટવેર વિશે એલર્ટ જારી કરી છે. સાથે જ કોઈ પણ અજાણ્યા મેસેજમાં મોકલવામાં આવેલી લિંકને ન ખોલવાની સલાહ આપી છે.

શું છે આ સૉફ્ટવેર?
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટીગેશને જે સૉફ્ટવેર વિશે એલર્ટ કર્યુ છે તેનુ નામ છે સરબેરસ. આ સૉફ્ટવેરનો ઉપયોગ હેકર લોકોની અંગત માહિતી જેવી કે બેંક ડિટેલ અને ડેટા ચોરવા માટે કરે છે. આ સૉફ્ટવેરની ખાસ વાત એ છે કે યુઝરનો ડેટા ચોરી થઈ જાય છે અને તેને ખબર પણ નથી પડતી. હાલના સમયમાં કોરોના મહામારીની માહિતી આપવાના બહાને હેકર તેની લિંક લોકોને મોકલી રહ્યા છે. લોકો કોરોના વિશે માહિતી લેવા માટે મેસેજમાં આપેલ લિંક ખોલે એટલે તરત જ હેકરની જાળમાં ફસાઈ જાય છે.

આ છે હેકિંગની રીત
સીબીઆઈના જણાવ્યા મુજબ હેકર સૌથી પહેલા કોરોના વિશે એક મેસેજ મોકલશે. આ મેસેજમાં એક સૉફ્ટવેરની લિંક હશે. મોડસ ઑપરંડી હેઠળ મોકલેલા આ એસએમએસ પર ક્લિક કરતા જ તમારા ફોનમાં આ સૉફ્ટવેર આપોઆપ ઈન્સટૉલ થઈ જશે. ત્યારબાદ આ સૉફ્ટવેર તમારી બધી અંગત માહિતીને કૉપી કરીને તે હેકરને ટ્રાન્સફર કરી દેશે ત્યારબાદ હેકર તમારી અકાઉન્ટ ડિટેલ કે પર્સનલ માહિતીનો ખોટો ઉપયોગ કરી શકે છે. સીબીઆઈએ પોતાની એલર્ટમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિ અને કંપની દ્વારા મોકલાયેલ મેસેજ પર કોઈ રિસ્પોન્સ ન કરવાની અપીલ કરી છે.

હેકિંગથી કેવી રીતે બચવુ?
- સુરક્ષિત પ્લેટફોર્મથી જ કોઈ પણ એપને ડાઉનલોડ કરો.
- ઈન્સ્ટૉલ કરતી વખતે ટર્મ એન્ડ કન્ડીશનને સારી રીતે વાંચી લો.
- કોઈ પણ ઑનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે વેબસાઈટ સારી રીતે ચેક કરો.
- જો વેબસાઈટ httpથી શરૂ થતી હોય તો તે સુરક્ષિત છે.
- માત્ર પોતાની ઓળખના વ્યક્તિ કે કંપની દ્વારા મોકલાયેલા મેસેજને જ ખોલો.
- આ દરમિયાન જો તેમાં કોઈ લિંક આપેલી હોય તો તેના વિશે જાણ્યા વિવા તેના પર ક્લિક ન કરો.
- ક્યારેય પણ બેંકિંગ ડિટેલ ફોન કે મેસેજ દ્વારા કોઈની સાથે શેર ન કરો.
- કોઈ પણ બેંક ગ્રાહકો સાથે ફોન પર અકાઉન્ટ, એટીએમ, ક્રેડિટ કાર્ડની ડિટેલ નથી માંગતા.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ એસબીઆઈએ પોતાના ખાતાધારકોને એલર્ટ કર્યા હતા. બેંકે ખાતાધારકોને સચેત કરીને કહ્યુ કે જો ગ્રાહકોને આવકવેરા વિભાગ તરફથી કોઈ પણ સંદેશ મળ્યો હોય જેમાં ઈનકમ ટેક્સ રિફંડ વિશે કોઈ પ્રોસેસન વાત કહી હોય તો તેને તમે ન ખોલતા. આ મેસેજ દ્વારા હેકર્સ તમારા અકાઉન્ટની ડિટેલ ચોરી કરીને તમારા ખાતામાંથી પૈસા ઉડાવી શકે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
