સોનની માંગ : RBI જશે મંદિરોના શરણમાં

વિદેશી મુદ્રાને બચાવવા માટે આરબીઆઇએ સોનાની આયાત પર મૂકેલા નિયંત્રણોને પગલે સોનાની આયાત કરવી મુશ્કેલ બની છે. જેના કારણે ભારતીયોની સોનાની માંગ પૂરી કરવા માટે આરબીઆઇ તિરૂપતિ અને શિરડી જેવા મંદિરોના શરણે જશે અને તેમને પોતાનું સોનુ વેચવા માટે કહેશે.
આ માટે રિઝર્વ બેંક વાતચીત કરી રહ્યું છે. બીજી તરફ મંદિરના ટ્રસ્ટોને આ માટે કેવી રીતે મનાવવામાં આવે તે અંગેના ઉપાય પણ તે શોધી રહી છે. આ પ્રક્રિયાથી અવગત બે બેંકરોએ આ માહિતી આપી છે.
દેશમાં સોનાની સર્વાધિક માલિકી ધરાવતા મંદિરોમાં આંધ્રપ્રદેશના તિરૂપતિ, મહારાષ્ટ્રના શિરડી સાંઇબાબા મંદિર, મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર અને તિરુવનંતપુરમનું પદ્મનાભસ્વામી મંદિર સૌથી આગળના ક્રમે આવે છે. તેમની પાસે ઘણું સોનું અને કિંમતી ધાતુઓ છે. તેમાંથી અનેક મંદિરોના ટ્રસ્ટના એકાઉન્ટ બેંકો જ મેનેજ કરે છે.
આ કારણે રિઝર્વ બેંકને આશા છે કે આ બેંકો મંદિરોના ટ્રસ્ટોને પોતાની ગોલ્ડ ડિપોઝિટને કેશમાં રૂપાંતરીત કરવા માટે તૈયાર કરી શકે છે. જો કે આ ડીલ ફાઇનલ થશે કે નહીં તે અંગે અત્યારે કંઇ પણ કહી શકાય એમ નથી.
તિરૂપતિ મંદિર પાસે અંદાજે 1000 ટન સોનુ છે. આ વર્ષે દેશમાં કુલ જેટલુ સોનુ આયાત કરવાની આશા છે તેનાથી આ બમણું છે. ભારતમાં કુલ 18000થી 30000 ટન સોનુ હોવાનો અંદાજ છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
