શું લૉકડાઉનમાં પીએમ મોદી દરેક ભારતીયોને આપશે 15000 રૂપિયા, જાણો શું છે હકીકત
શું લૉકડાઉનમાં પીએમ મોદી દરેક ભારતીયોને આપશે 15000 રૂપિયા, જાણો શું છે હકીકત
ભારતમાં કોરોના વાયરસના ચેપની વધી રહેલી સંખ્યાને જોતા આગામી 3 મે 2020 સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું છે. પીએમ મોદીએ 21 દિવસના પ્રથમ લૉકડાઉનના અંતિમ દિવસે આ અંગે જાહેરાત રી હતી. પીએણ મોદીએ લૉકડાઉન વધારવા માટે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે 3 મે સુધી લૉકડાઉનનું પાલન એ રીતે કરવાનું છે, જે રીતે અત્યાર સુધી કરતા આવ્યા છો. જો કે પીએમે જણાવ્યું હતું કે કેટલીક આવશ્યક ચીજોની મંજૂરી આપી શકાય છે. આ મંજૂરી શરતી રહેશે. આ સાથે બીજી તરફ સોશિયલ મીડિયા પર પીએમ મોદીના નામનો એક સંદેશ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહ્યો છે આ સંદેશ
કોરોના સંકટ વચ્ચે ચાલી રહેલ લૉકડાઉન દરમિયાન જ્યારે જરૂરી સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ કરવામાં આવી હતી ત્યારે એક સંદેશો વાયરલ થયો કે પીએમ મોદી દરેક ભારતીયોને 15 હજાર રૂપિયા આપી રહ્યા છે. આ ઉપરાંત સંદેશ સાથે એક લિંક જોડવામાં આવી છે જેમા ંદાવો કરવામાં આવ્યો છે કે એકવાર તમે લિંક ખોલો ત્યારે તમારું નામ, ફોન નંબર, સરનામું અને પિનકોડ સાથે ફોર્મ ભરવા વિનંતી કરવામાં આશે.

આવા દાવા પણ કરવામાં આી રહ્યા છે
આ સંદેશમા આગળ લખ્યું કે આ ફોર્મ ભરો અને તમારા ખાતામાં 15 હજાર રૂપિયા મળી જશે. આ મેસેજમાં ટીકર પણ છે જેમાં દાવો કરવામાં આવે છે કે એક લાખથી વધુ લોકોને તેનો ફાયદો મળ્યો છે. બ્લૉગર યૂઝરે આ પોસ્ટ લખીને વાયરલ કરી હતી.

જાણો લિંકની હકીકત શું છે
જણાવી દઈએ કે સરકારના નામે કરવામાં આવી રહેલ આવો દાવો એકદમ નકલી છે અને સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રાષ્ટ્રને સંબોધન દરમિયાન પીએમ મોદીએ આવી કોઈ જાહેરાત નહોતી કરી. તેમણે ફક્ત લૉકડાઉન 3 તારીખ સુધી લંબાવી દીધું હતું. આ સાથે અમે તપાસ કરેલ તમામ સ્રોતોએ કહ્યું કે આ નકલી સમાચાર છે અને જે વેબસાઈટની લિંક સક્રિય કરવામાં આવી તે વેબસાઈટ શંકાસ્પદ છે. એટલે તમને પણ આવો કોઈ મેસેજ મળ્યો હોય તો કોઈ પર્સનલ માહિતી તેમાં આપવી નહિ.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
