અગ્નિપથ યોજના: અગ્નિવીરોમાટે ભરતીની નોટીફીકેશન જારી, આજથી રજિસ્ટ્રેશન શરૂ
14 જૂને કેન્દ્ર સરકારે સૈન્ય ભરતી 'અગ્નિપથ યોજના'નું નવું મોડલ લોન્ચ કર્યું છે. ત્રણેય સેવાઓ સાથે જોડાયેલી આ યોજના તેની શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. દરમિયાન, રવિવારના રોજ સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ યોજના કો
14 જૂને કેન્દ્ર સરકારે સૈન્ય ભરતી 'અગ્નિપથ યોજના'નું નવું મોડલ લોન્ચ કર્યું છે. ત્રણેય સેવાઓ સાથે જોડાયેલી આ યોજના તેની શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. દરમિયાન, રવિવારના રોજ સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ યોજના કોઈપણ કિંમતે પરત કરવામાં આવશે નહીં. માહિતી આપવાની સાથે જ જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ થશે. આવી સ્થિતિમાં, હવે અગ્નિપથ ભરતી યોજના 2022નું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આર્મીમાં જોડાવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

અગ્નિપથ ભરતી નોટીફિકેશન 2022
અગ્નિપથ ભરતી સૂચના 2022 તારીખો અને અગ્નિવીર માટેનું સંપૂર્ણ સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે કારણ કે યોજના દેશના સંરક્ષણ અને સશસ્ત્ર દળોમાં યુવાનોને સામેલ કરવાનું ચાલુ રાખે છે. આ યોજના હેઠળ હવે જે યુવાનો નોંધણી થયા છે તેમને ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં સેવા કરવાની તક આપવામાં આવશે.

અગ્નિપથ ભરતીનુ પુરૂ શિડ્યુલ
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, ભારતીય સેના માટે અગ્નિપથ ભરતી સૂચના 2022 આજથી (20 જૂન) જારી કરવામાં આવી છે. ભારતીય સેનામાં અરજી કરવા અને નોંધણી કરવા ઈચ્છુક અગ્નિવીર પોતાની નોંધણી કરાવી શકે છે. અગ્નિપથ ભરતી સૂચનાનું સંપૂર્ણ સમયપત્રક નીચે મુજબ છે.
- ભારતીય સેના - 20 જૂન, 2022
- ભારતીય નૌકાદળ - 21 જૂન 2022
- ભારતીય વાયુસેના - 24 જૂન, 2022

હવે અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરવામાં આવશે
અગાઉ રવિવારે મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ નિયમિત ભરતી થશે નહીં, હવે સૈનિકોની ભરતી અગ્નિપથ યોજના હેઠળ કરવામાં આવશે. એ પણ કહ્યું કે યુવાનોએ ભરતી માટે તૈયારી કરવી જોઈએ અને અગ્નિપથ યોજનામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ સિવાય આ સ્કીમ પાછી ખેંચવામાં આવશે નહીં. 17.5 વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષના કાર્યકાળ માટે સેવાઓમાં સામેલ કરવામાં આવશે. કેન્દ્ર યોજનાનું 'વિશ્લેષણ' કરવા માટે 46,000 આર્મી ઉમેદવારોની ભરતી સાથે શરૂઆત કરશે.
📢 #Agniveer aspirants, get ready!
— Ministry of Information and Broadcasting (@MIB_India) June 20, 2022
Notification dates for recruitments under #AgnipathScheme 👇
🇮🇳 Indian Army @adgpi - June 20, 2022.
🇮🇳 Indian Navy @indiannavy - June 21, 2022.
🇮🇳 Indian Air Force @IAF_MCC - June 24, 2022.#AgnipathRecruitmentScheme #Agnipath #Agniveers pic.twitter.com/ZFPxcOZTcX
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
