ભાવનગરના બે શિવાલયોને પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવાશે
ભાવનગર, 27 જૂન : ગુજરાતના ભાવનગર શહેરના બે તીર્થસ્થાનોને હવે પિકનીક પોઇન્ટ તરીકે વિકસાવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ તીર્થસ્થાનો બે શિવમંદિર છે. આ શિવમંદિરો જ નહીં પણ ઐતિહાસિક ધરોહર ગણાતા સ્થાપત્ય પણ છે. આ કારણે તેને વિકસાવવાનો નિર્ણય લેવાયો છે.
ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિર તથા તખ્તેશ્ર્વર મહાદેવ મંદિર આગામી દિવસોમાં રમણીય અને ફરવાલાયક સ્થળ તરીકે આકાર પામી શહેરના આકર્ષણમાં વધારો કરે તે માટેની યોજના હાથ ધરાઇ છે.
બંને શિવાલયોને રૂપિયા 75 લાખના ખર્ચે વિકસિત કરાશે. શહેરીજનોને અહીં ખાણી-પીણી, મનોરંજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

બંને સ્થાપત્યોને વિકસાવવા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવાતા જિલ્લા વહીવટી તંત્રએ આ બંને સ્થળોને વિકાસાવવા પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરી છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યભરનાં પવિત્ર યાત્રાધામોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદી મૂળ ભાવનગરના હોવાથી સ્થાનિક કક્ષાએ તેમની સમક્ષ શહેરના તખ્તેશ્ર્વર મહાદેવ મંદિર અને જશોનાથ મહાદેવ મંદિરનો વિકાસ કરવાની દરખાસ્ત મુકાઈ હતી.
દરખાસ્તમાં બંને શિવાલયોના ઇતિહાસ અને પૌરાણિક તથા ભાવનગરના રાજવી પરિવારની અણમોલ ભેટ સમી યાદગીરીની હાલની સ્થિતિનો ચિતાર અપાયો હતો.
જેના પગલે બોર્ડની બેઠકમાં આ દરખાસ્ત અંગે વિષદ વિચારણા કરાયા બાદ બંને શિવાલયોના વિકાસ માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
